________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૨૦૧
નિરતિચાર પાલન કરે છે તે વ્રતપ્રતિમાધારી શ્રાવક છે. એ પ્રમાણે પાંચ અણુવ્રતનું વ્યાખ્યાન કર્યું.
હવે તે વ્રતોની રક્ષા કરવાવાળાં સાત શીલ છે. તેનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ત્રણ ગુણવ્રતમાં પહેલું ગુણવ્રત કહે છેઃ
जह लोहणासणद्वं संगपमाणं हवेइ जीवस्स । सव्व-दिसाण पमाणं तह लोहं णासए णियमा ।। ३४१ ।। जं परिमाणं कीरदि दिसाण सव्वाण सुप्पसिद्धाणं । उवओगं जाणित्ता गुणव्वदं जाण तं पढमं ।। ३४२ ।।
यथा लोभनाशनार्थं सङ्गप्रमाणं भवति जीवस्य । सर्वदिशानां प्रमाणं तथा लोभं नाशयति नियमात् ।। ३४१ ।। यत् परिमाणं क्रियते दिशानां सर्वासां सुप्रसिद्धानाम् । उपयोगं ज्ञात्वा गुणव्रतं जानीहि तत् प्रथमम् ।। ३४२ ।।
,
અર્થ:- લોભનો નાશ કરવા અર્થે જીવને પરિગ્રહનું પરિમાણ હોય છે; તેમાં પણ સર્વ દિશાઓમાં પરિમાણ કરીને પણ નિયમથી લોભનો નાશ કરે છે. તેથી પૂર્વ વગેરે પ્રસિદ્ધ દશ દિશાઓ છે તેમનું પોતાના પ્રયોજનભૂત કાર્યથી જરૂરિયાત જાણી, પ્રમાણ કરે તે પહેલું ગુણવ્રત છે. પહેલાં કહેલાં પાંચે અણુવ્રતનું ઉપકારી આ ગુણવ્રત છે. અહીં ‘ ગુણ ’શબ્દ ઉપકારવાચક સમજવો. જેમ લોભનો નાશ કરવા માટે પરિગ્રહનું પરિમાણ કરે છે તેમ લોભનો નાશ કરવા માટે દિશાઓનું પણ પરિમાણ કરે છે. જ્યાં સુધીનું ૫૨માણ કર્યું હોય તે ઉપરાંતની પેલી બાજુ દ્રવ્યાદિની પ્રાપ્તિ થતી હોય તોપણ ત્યાં જાય નહિ. એ પ્રમાણે લોભને ઘટાડયો, તથા પરિમાણથી પેલી બાજુ ન જવાથી એ બાજુ સંબંધીનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com