SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨OO] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પહેલી પ્રતિમામાં સાત વ્યસનના ત્યાગમાં આવી ગયો છે, અહીં તો અતિ તીવ્ર કામવાસનાનો પણ ત્યાગ છે, તેથી અતિચાર રહિત વ્રત પળાય છે, પોતાની સ્ત્રીમાં પણ તીવ્રપણું હોતું નથી. એ પ્રમાણે બ્રહ્મચર્યાણુવ્રતનું કથન કર્યું. હવે પરિગ્રહપરિમાણ નામના પાંચમાં અણુવ્રતનું કથન કરે जो लोहं णिहणित्ता संतोसरसायणेण संतुट्ठो। णिहणदि तिला दुट्ठा मण्णंतो विणस्सरं सव्वं ।। ३३९ ।। जो परिमाणं कुव्वदि धणधण्णसुवण्णखित्तमाईणं। उवओगं जाणित्ता अणुव्वदं पंचमं तस्स।। ३४०।। यः लोभं निहत्य सन्तोषरसायनेन सन्तुष्ठः। निहन्ति तृष्णा दुष्टा मन्यमानः विनश्वरं सर्वम्।। ३३९ ।। यः परिमाणं कुर्वते धनधान्यसुवर्णक्षेत्रादीनाम्। उपयोगं ज्ञात्वा अणुव्रतं पञ्चमं तस्य।।३४०।। અર્થ - જે પુરુષ લોભકષાયને અલ્પ કરી સંતોષરૂપ રસાયણથી સંતુષ્ટ થતો થકો સર્વ ધન-ધાન્યાદિક પરિગ્રહને વિનાશી માની દુષ્ટ તૃષ્ણાને અતિશય હણે છે તથા ધન-ધાન્ય-સુવર્ણ-ક્ષેત્રાદિ પરિગ્રહનું, પોતાના ઉપયોગસામર્થ્યને અને કાર્યવિશેષને જાણી તેના અનુસાર, પરિમાણ કરે છે તેને આ પાંચમું અણુવ્રત હોય છે. અંતરંગપરિગ્રહ તો લોભ-તૃષ્ણા છે તેને ક્ષીણ કરે છે તથા બાહ્યપરિગ્રહનું પરિમાણ કરે છે. દઢચિત્તથી પ્રતિજ્ઞાભંગ ન કરે તે અતિચાર રહિત પંચમઅણુવ્રતી છે. એ પ્રમાણે પાંચ અણુવ્રત ૧. ક્ષેત્રવાસ્તુ, હિરણ્યસુવર્ણ, ધનધાન્ય, દાસીદાસ અને કુપ્યભાંડ આ વસ્તુઓના પરિમાણનું ઉલ્લંઘન કરવું તે પરિગ્રહત્યાગ અણુવ્રતના પાંચ અતિચાર છે. (જાઓ અર્થપ્રકાશિકાટીકા, પૃષ્ટ-૨૮૭) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy