________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[ ૧૯૯
जो मण्णदि परमहिलं जणणीबहिणीसुआइसारिच्छं । मणवयणे कारण वि बंभवई सो हवे थूलो ।। ३३८ ॥
अशुचिमयं दुर्गन्धं महिलादेहं विरज्यमानः यः । रूपं लावण्यं अपि च मनोमोहनकारणं जानाति ।। ३३७ ।। यः मन्यते परमहिलां जननीभगिनीसुतादिसदृशाम् । मनसा वचनेन कायेन अपि ब्रह्मव्रती सः भवेत् स्थूलः ।। ३३८ ।।
અર્થ:- જે શ્રાવક સ્ત્રીના દેહને અશુચિમય-દુર્ગંધ જાણતો થકો તેના રૂપ- લાવણ્યને પણ (માત્ર) મનને મોહ ઉપજાવવાના કારણરૂપ જાણે છે અને તેથી તેનાથી વિરક્ત થઈ પ્રવર્તે છે, જે પરસ્ત્રી મોટી હોય તેને માતા બરાબર, બરાબર ઉંમરવાળી હોય તેને બહેન બરાબર તથા નાની હોય તેને દીકરી તુલ્ય મન-વચન- કાયથી જાણે છે તે સ્થૂલ બ્રહ્મચર્યાણુવ્રતધારી શ્રાવક છે. પરસ્ત્રીને તો મન-વચન- કાય, કૃત-કાતિ-અનુમોદનાથી ત્યાગ કરે, સ્વસ્ત્રીમાં સંતોષ ધરે, તીવ્રકામવશ વિનોદ–ક્રિડારૂપ ન પ્રવર્તે, સ્ત્રીના શ૨ી૨ને અપવિત્ર-દુર્ગંધ જાણી વૈરાગ્યભાવનારૂપ ભાવ રાખે તથા કામની તીવ્રવેદના આ સ્ત્રીના નિમિત્તથી થાય છે તેથી તેની રૂપ- લાવણ્યાદિ ચેષ્ટાને મનને મોહિત કરવામાં, જ્ઞાનને ભુલાવવામાં અને કામને ઉપજાવવામાં કારણરૂપ જાણી તેનાથી વિરક્ત રહે તે ચોથા અણુવ્રતધારી હોય છે. (૧) પરના વિવાહ કરવા, (૨-૩) પરની પરિણીત-અપરિણીત સ્ત્રીનો સંસર્ગ રાખવો, ૪. કામક્રીડા, પ. કામનો તીવ્ર અભિપ્રાય-એ તેના પાંચ અતિચાર છે. તે, ‘સ્ત્રીના દેહથી વિરક્ત રહેવું' એ વિશેષણમાં આવી જાય છે. પરસ્ત્રીનો ત્યાગ તો
*
* વિવાહકરણ, અપરિગૃહિતઇત્વરિકાગમન, પરિગૃહિતઇત્વરિકાગમન, અનંગક્રીડા, અને કામતીવ્રતા–એ બ્રહ્મચર્યાણુવ્રતના પાંચ અતિચાર છે.
(જીઓ અર્થપ્રકાશિકાટીકા, પૃષ્ટ-૨૮૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com