________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા પ્રત્યાખ્યાનાવરણકષાયના મંદઉદયથી આ વ્રત થાય છે, તેથી ઉપશમભાવસહિતપણું” એવું વિશેષણ આપ્યું છે. જોકે દર્શનપ્રતિમધારીને પણ અપ્રત્યાખ્યાનાવરણનો અભાવ તો થયો છે પરંતુ પ્રત્યાખ્યાનાવરણકષાયના તીવ્ર સ્થાનકોના ઉદયથી તેને અતિચારરહિત પાંચ અણુવ્રત હોતાં નથી તેથી ત્યાં “અણુવ્રત' સંજ્ઞા નથી પણ સ્કૂલ અપેક્ષાએ તેને પણ ત્રસઘાત ને અભક્ષ–ભક્ષણના ત્યાગથી અણુવ્રતઅણુત્વ છે. વ્યસનોમાં ચોરીનો ત્યાગ છે એટલે અસત્ય પણ તેમાં ગર્ભિત છે, પરસ્ત્રીનો ત્યાગ છે, અને વૈરાગ્યભાવના છે એટલે પરિગ્રહની મૂર્છાનાં સ્થાનક પણ ઘટતાં છે–તેમાં પ્રમાણ પણ તે કરે છે, પરંતુ નિરતિચાર બનતું નથી તેથી તે “વ્રતપ્રતિમા નામ પામતું નથી. વળી “જ્ઞાની” વિશેષણ છે તે પણ યોગ્ય જ છે કારણ કેસમ્યગ્દષ્ટિ બની વ્રતનું સ્વરૂપ જાણી શ્રીગુરુની આપેલી પ્રતિજ્ઞાને ધારણ કરે છે માટે તે જ્ઞાની જ કહેવાય છે એમ જાણવું.
હવે પાંચ અણુવ્રતોમાં પ્રથમ અણુવ્રત કહે છે:जो वावरेइ सदओ अप्पाण-समं परं पि मण्णंतो। णिंदणगरहणजुत्तो परिहरमाणो महारंभे।।३३१।। तसघादं जो ण करदि मणवयकाएहिं णेव कारयदि। कुव्वंतं पि ण इच्छदि पढमवयं जायदे तस्स।। ३३२।।
यः व्यापारयति सदयः आत्मना समं परं अपि मन्यमानः। निन्दनगर्हणयुक्त: परिहरमाण: महारम्भान्।। ३३१ ।। त्रसघातं यः न करोति मनोवचनकायैः नैव कारयति। कुर्वन्तं अपि न इच्छति प्रथमव्रतं जायते तस्य।। ३३२।।
અર્થ- જે શ્રાવક બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસજીવોનો મન-વચન-કાયા દ્વારા પોતે ઘાત કરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com