SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા]. [ ૧૯૫ નહિ, બીજાની પાસે કરાવે નહિ તથા કોઈ બીજા કરતો હોય તો તેને ભલો માને નહિ તેને પ્રથમ અહિંસાણુવ્રત હોય છે. તે શ્રાવક કેવો છે? વ્યાપારાદિ કાર્યોમાં દયા સહિત પ્રવર્તે છે, પ્રાણીમાત્રને પોતા સમાન માને છે, વ્યાપારાદિ કાર્યોમાં હિંસા થાય છે તે બદલ પોતાના દિલમાં પોતાની નિંદા કરે છે, ગહપૂર્વક ગુરુની આગળ પોતાનું પાપ કહે છે; જે પાપ લાગે છે તેનું ગુરુની આજ્ઞા પ્રમાણે આલોચન, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્તાદિક લે છે તથા જેમાં ઘણી ત્રસહિંસા થતી હોય એવાં મહાઆરંભયુક્ત મોટા વ્યાપારાદિ કાર્યોને છોડતો થકો પ્રવર્તે છે. ભાવાર્થ- ત્રસજીવનો ઘાત પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને કરનારને ભલો જાણે નહિ. પરજીવોને પોતા સમાન જાણે એટલે પરઘાત કરતો નથી. જેમાં ત્રસજીવોનો ઘાત ઘણો થાય એવા મોટા આરંભને છોડે અને અલ્પ આરંભમાં ત્રસઘાત થાય તેમાં પણ પોતાની નિંદા-ગહપૂર્વક આલોચન-પ્રતિક્રમણ-પ્રાયશ્ચિત્તાદિ કરે. અન્ય ગ્રંથોમાં તેના અતિચારો કહ્યા છે તે ટાળે. અહીં ગાથામાં અન્ય જીવોને પોતાસમાન કહ્યા છે તેમાં અતિચાર ટાળવાના પણ આવી ગયા, કારણ કે પરજીવને વધ, બંધન, અતિભારઆરોહણ, અન્નપાનનિરોધનમાં દુઃખ થાય છે, હવે પરજીવોને જો પોતાસમાન જાણે તો તે એમ શા માટે કરે ? ( ન જ કરે ). હવે બીજાં સત્યાણુવ્રત કહે છે:हिंसावयणं ण वयदि कक्कसवयणं पि जो ण भासेदि। णिगुरवयणं पि तहा ण भासदे गुज्झवयणं पि।। ३३३ ।। हिदमिदवयणं भासदि संतोसकरं तु सव्वजीवाणं। धम्मपयासणवयणं अणुव्वदी हवदि सो बिदिओ।। ३३४ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy