________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૧૯૩
પરલોકસંબંધી શુભગત આદિની વાંચ્છા રહિત હોય તથા ત્રીજું વૈરાગ્યભાવનાથી જેનું ચિત્ત આર્દ્ર અર્થાત્ સિંચાયલું હોય. અભક્ષ અને અન્યાયને અત્યંત અનર્થરૂપ જાણી ત્યાગ કરે છે પણ એમ જાણીને નહિ કે ‘શાસ્ત્રમાં તેને ત્યાગવા યોગ્ય કહ્યાં છે માટે ત્યાગવાં', પણ પરિણામમાં તો રાગ મટયો નથી. (ત્યાં શું ત્યાગ્યું?) ત્યાગના અનેક આશય હોય છે. આ દાર્શનિકશ્રાવકને તો અન્ય કોઈ આશય નથી, માત્ર તીવ્રકષાયના નિમિત્તરૂપ મહાપાપ જાણી ત્યાગે છે અને એને ત્યાગવાથી જ આગળથી (વ્રતાદિ) પ્રતિમાઓના ઉપદેશને લાયક થાય છે. નિઃશલ્યને વ્રતી કહ્યો છે તેથી શલ્યરહિત ત્યાગ હોય છે. એ પ્રમાણે દર્શનપ્રતિમાધારી શ્રાવકનું સ્વરૂપ કહ્યું.
હવે બીજી વ્રતપ્રતિમાનું સ્વરૂપ કહે છેઃ
पंचाणुव्वयधारी गुणवयसिक्खावएहिं संजुत्तो । दिढचित्तो समजुत्तो णाणी वयसावओ होदि ।। ३३० ।। पञ्चाणुव्रतधारी गुणव्रतशिक्षाव्रतैः संयुक्तः । दृढचित्तः शमयुक्त: ज्ञानी व्रतश्रावकः भवति ।। ३३० ।।
અર્થ:- જે પાંચ અણુવ્રતનો ધા૨ક હોય, ત્રણ ગુણવ્રત તથા ચાર શિક્ષાવ્રત સહિત હોય, દઢચિત્તવાન હોય, શમભાવથી યુક્ત હોય તથા જ્ઞાનવાન હોય તે વ્રતપ્રતિમાધારક શ્રાવક છે.
ભાવાર્થ:- અહીં · અણુ ' શબ્દ અલ્પતા વાચક છે. પાંચ પાપમાં અહીં સ્થૂલ પાપોનો ત્યાગ છે તેથી તેની ‘અણુવ્રત’ સંજ્ઞા છે. ગુણવ્રત-શિક્ષાવ્રત છે તે આ અણુવ્રતોની રક્ષા કરવાવાળાં છે તેથી અણુવ્રતી તેમને પણ ધારણ કરે છે. આ જીવ વ્રતની પ્રતિજ્ઞામાં દચિત્ત છે. કષ્ટ-ઉપસર્ગ-પરિષહ આવવા છતાં પણ શિથિલ થતો નથી. અપ્રત્યાખ્યાનાવરણકષાયના અભાવથી તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com