________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
પર્યાય છે, એ સર્વ પર્યાયોને જ લોક જીવ માને છે, તેથી એ પર્યાયોમાં અભેદરૂપ અનાદિ અનંત એકભાવરૂપ ચેતનાધર્મને ગ્રહણ કરી તેને નિશ્ચયનયનો વિષય કહી જીવદ્રવ્યનું જ્ઞાન કરાવ્યું, અને પર્યાયાશ્રિત ભેદનયને ગૌણ કર્યો. અભેદષ્ટિમાં તે ( ભેદનય ) દેખાતો નથી તેથી અભેદનયનું દઢશ્રદ્ધાન કરાવવા માટે કહ્યું કેપર્યાયનય છે તે વ્યવહાર છે-અભૂતાર્થ છે-અસત્યાર્થ છે. ભેદબુદ્ધિના એકાન્તનું નિરાકરણ કરવા માટે આમ કહેવામાં આવે છે. પરંતુ ત્યાં એમ નથી કે આ ભેદ છે તેને અસત્યાર્થ કહ્યો છે-વસ્તુનું સ્વરૂપ નથી. જો એ પ્રમાણે કોઈ સર્વથારૂપ માને તો તે અનેકાન્તમાં સમજ્યો નથી પણ સર્વથા એકાન્તશ્રદ્ધાનથી મિથ્યાદષ્ટિ જ રહે છે. અધ્યાત્મશાસ્ત્રમાં જ્યાં નિશ્ચય-વ્યવહારનય કહ્યા છે ત્યાં પણ એ બંનેના પરસ્પર વિધિનિષેધપૂર્વક સમભંગથી વસ્તુને સાધવી. જો એકને સર્વથા સત્યાર્થ માનવામાં આવે અને એકને સર્વથા અસત્યાર્થ માનવામાં આવે તો ત્યાં મિથ્યાશ્રદ્ધાન થાય છે માટે ત્યાં પણ ‘કચિત્ ’ સમજવું.
વળી અન્ય વસ્તુને અન્યમાં આરોપણ કરી પ્રયોજન સાધવામાં આવે છે તેને ઉપચારનય કહેવામાં આવે છે અને તે પણ વ્યવહારનયમાં ગર્ભિત છે એમ કહ્યું છે. જ્યાં પ્રયોજન કે નિમિત્ત હોય ત્યાં ઉપચાર પ્રવર્તે છે. જેમ ‘ઘીનો ઘડો ' કહીએ ત્યાં માટીના ઘડાના આશ્રયે ઘી ભર્યું હોય ત્યાં વ્યવહા૨ીજનોને આધાર-આધેયભાવ દેખાય છે તેને પ્રધાન કરીને કહેવામાં આવે છે કે ‘ઘીનો ઘડો છે'. લોક પણ એમ જ કહેવાથી સમજે અને ઘીનો ઘડો મંગાવે તો તેને લાવે. તેથી ઉપચારમાં પણ પ્રયોજન સંભવે છે. એ જ પ્રમાણે અભેદનયને મુખ્ય કરવામાં આવે ત્યાં અભેદષ્ટિમાં ભેદ દેખાતો નથી ત્યારે તેમાં જ ભેદ કહે તે અસત્યાર્થ છે એટલે ત્યાં પણ ઉપચાર સિદ્ધ થાય છે. આ મુખ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com