SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates ધર્માનુપ્રેક્ષા ] [ ૧૭૯ ઉપર પ્રમાણે જ સાત ભંગથી સાધવા. તેનું સાધન શ્રુતજ્ઞાનપ્રમાણ છે, તેના ભેદ દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક છે અને તેના પણ ભેદ નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજીસૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નય છે. વળી તેના પણ ઉત્તરોત્તર જેટલા વચનના પ્રકાર છે તેટલા ભેદ છે. તેને પ્રમાણસમભંગી તથા નયસસભંગીના વિધાન દ્વારા સાધી શકાય છે. એનું ન પ્રથમ લોકભાવનામાં કર્યું છે, તથા તેનું વિશેષ કથન શ્રી તત્ત્વાર્થસૂત્રની ટીકાથી જાણવું. એ પ્રમાણે પ્રમાણ-નય દ્વારા જીવાદિ પદાર્થોને જાણીને જે શ્રદ્ધાન કરે તે શુદ્ધ સમ્યગ્દષ્ટિ થાય છે. અહીં આ વિશેષ જાણવું કે-નય, વસ્તુના એક એક ધર્મનો ગ્રાહક છે અને તે પોતપોતાના વિષયરૂપ ધર્મને ગ્રહણ કરવામાં સમાન છે, તોપણ પુરુષ પોતાના પ્રયોજનવશ તેને મુખ્ય-ગૌણ કરીને કહે છે. જેમ જીવ નામની વસ્તુમાં અનેક ધર્મ છે તોપણ ચેતનપણું આદિ પ્રાણધારણપણું અજીવોથી અસાધારણ જોઈએ અજીવોથી ( જીવને ) જુદો બતાવવા માટે પ્રયોજનવશ મુખ્ય કરી ચેતનવસ્તુનું ‘જીવ’ નામ રાખ્યું. એ જ પ્રમાણે સર્વ ધર્મોને પ્રયોજનવશ મુખ્ય-ગૌણ કરવાની વિધિ જાણવી. અહીં એ જ આશયથી અધ્યાત્મ કથનીમાં મુખ્યને તો નિશ્ચય કહ્યો છે તથા ગૌણને વ્યવહાર કહ્યો છે. ત્યાં અભેદધર્મને તો પ્રધાનપણે નિશ્ચયનો વિષય હ્યો અને ભેદ-નયને ગૌણ કરી વ્યવહાર કહ્યો. વળી દ્રવ્ય તો અભેદ છે તેથી નિશ્ચયનો આશ્રય દ્રવ્ય છે, તથા પર્યાય ભેદરૂપ છે તેથી વ્યવહારનો આશ્રય પર્યાય છે. ત્યાં પ્રયોજન આ છે કે-વસ્તુને ભેદરૂપ તો સર્વ લોક જાણે છે-અને જે જાણે છે તે જ પ્રસિદ્ધ છે, તેનાથી તો લોક પર્યાયબુદ્ધિ છે. જીવને નરનારકાદિક પર્યાય છે, રાગ-દ્વેષ-ક્રોધ-માન-માયા-લોભાદિ પર્યાય છે તથા જ્ઞાનના ભેદરૂપ મતિજ્ઞાનાદિ પણ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy