________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
'
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા સાત ભંગ) લગાવવા. જેમ જીવ નામની વસ્તુ ઉ૫૨ ‘સ્યાત્ જીવત્વ, સ્યાદ્ અજીવત્વ ' ઇત્યાદિ પ્રકારે લગાવવા. ત્યાં અપેક્ષા આ પ્રમાણે છે કે-પોતાનો જીવત્વધર્મ પોતાનામાં છે માટે જીવત્વ છે, પણ ૫૨ અજીવનો અવત્વ ધર્મ તેમાં નથી, તથા અન્ય ધર્મોને મુખ્ય કરી કહીએ તો તેની અપેક્ષાએ અજીવત્વ છે ઇત્યાદિ પ્રકારથી લગાવવા. તથા જીવ અનંત છે એની અપેક્ષાએ પોતાનું જીવત્વ પોતાનામાં છે અને પરનું જીવત્વ તેમાં નથી તેથી એ અપેક્ષાએ અજીવત્વ છે એમ પણ સાધી શકાય છે. ઇત્યાદિ અનાદિનિધન અનંત જીવ-અજીવ વસ્તુ છે, તે સર્વમાં પોતપોતાના દ્રવ્યત્વ-પર્યાયત્વ આદિ અનંત ધર્મ છે, તે સર્વ સહિત સસભંગ સાધવા. વળી તેના સ્થૂલપર્યાય છે તે પણ ચિરકાળસ્થાયી અનેક ધર્મરૂપ હોય છે, જેમ કે જીવ સંસારી-સિદ્ધ. સંસારીમાં ત્રસ અને સ્થાવર, તેમાં મનુષ્ય-તિર્યંચ આદિ, પુદ્ગલમાં પણ અણુસ્કંધ, ઘટ-પટ આદિ. હવે તેમાં પણ કથંચિત્ વસ્તુપણું સંભવે છે; એ પણ ઉપર પ્રમાણે સસભંગથી સાધવા. વળી એ જ પ્રમાણે જીવ-પુદ્દગલના સંયોગથી થયેલા આસવ, બંધ, સંવર, નિર્જરા, પુણ્ય, પાપ અને મોક્ષ આદિ ભાવમાં પણ બહુધર્મપણાની અપેક્ષાએ તથા પરસ્પર વિધિનિષેધથી અનેક ધર્મરૂપ કથંચિત્ વસ્તુપણું સંભવે છે. એ સર્વ પણ સમભંગથી સાધવા.
જેમ એક પુરુષમાં પિતાપણું, પુત્રપણું, મામાપણું, ભાણેજપણું, કાકાપણું અને ભત્રિજાપણું આદિ ધર્મ હોય છે તે પોતપોતાની અપેક્ષાએ વિધિ-નિષેધપૂર્વક સાત ભંગ દ્વારા જાણવા. આ નિયમથી જાણવું કે–વસ્તુમાત્ર અનેક ધર્મસ્વરૂપ છે. તે સર્વને જે અનેકાન્ત જાણી શ્રદ્ધાન કરે તથા એ જ પ્રમાણે લોકમાં વ્યવહાર પ્રવર્તાવે તે સમ્યગ્દષ્ટિ છે. જીવ, અજીવ, આસ્રવ, બંધ, પુણ્ય, પાપ, સંવર, નિર્જરા અને મોક્ષ એ નવ પદાર્થ છે, તેમને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com