________________
Version 001: remember to check htfp://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા ]
[૧૭૭
અવગાહત્વ, ગતિòતુત્વ, સ્થિતિહેતુત્વ, વર્તનાહેતુત્વ ઇત્યાદિ વિશેષ ધર્મ છે.
'
'
,
હવે પ્રશ્નકારના પ્રશ્નવશાત્ વિધિ-નિષેધરૂપ વચનના સાત ભંગ થાય છે. તેને ‘સ્યાત્ ' એ પદ લગાવવું. સ્યાત્ એટલે ‘ કંથચિત્ ’–‘ કોઈ પ્રકારથી ' એવા અર્થમાં છે. એ વડે વસ્તુને અનેકાન્તરૂપ સાધવી. ત્યાં (૧) ‘વસ્તુ સ્યાત્ અસ્તિરૂપ છે' એ પ્રમાણે કોઈ પ્રકા૨થી-પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી-વસ્તુને અસ્તિત્વરૂપ કહે છે, (૨) ‘વસ્તુ સ્યાત્ નાસ્તિત્વરૂપ છે' એ પ્રમાણે પર વસ્તુના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિત્વરૂપ કહે છે, (૩) ‘વસ્તુ સ્યાત્ અસ્તિત્વ-નાસ્તિત્વરૂપ છે' એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ હોય છે અને વચન દ્વારા ક્રમથી કહેવામાં આવે છે, (૪) ‘વસ્તુ સ્યાત્-અવક્તવ્ય છે' એ પ્રમાણે વસ્તુમાં બંને ધર્મ એક કાળમાં હોય છે તોપણ વચન દ્વારા એક કાળમાં તે કહ્યા જતા નથી તેથી તે કોઈ પ્રકારથી અવક્તવ્ય છે, (૫) ‘વસ્તુ સ્યાત્ અસ્તિઅવક્તવ્ય છે' એ પ્રમાણે અસ્તિત્વથી કહી જાય છે અને બંને ધર્મ એક કાળમાં છે તેથી કહી જતી નથી એ રીતે વક્તવ્ય પણ છે તથા અવક્તવ્ય પણ છે, તેથી સ્યાત્ અસ્તિઅવક્તવ્ય ’ છે. (૬) એ જ પ્રમાણે ‘વસ્તુ સ્યાત્ નાસ્તિ-અવક્તવ્ય છે' એમ કહેવી, તથા (૭) બંને ધર્મ ક્રમપૂર્વક કહ્યા જાય પણ એક સાથે કહ્યા ન જાય માટે ‘ વસ્તુ સ્યાત્ અસ્તિનાસ્તિ-અવક્તવ્ય છે' એ પ્રમાણે સાત જ ભંગ કોઈ પ્રકારથી સંભવે છે. અને એ જ રીતે એકત્વ, અનેકત્વ આદિ સામાન્ય ધર્મો ઉપર સાત ભંગ વિધિનિષેધપૂર્વક લગાવવા. જ્યાં જેવી અપેક્ષા સંભવિત હોય ત્યાં તેવી લગાવવી.
'
વળી એ જ પ્રમાણે જીવત્વ આદિ વિશેષ ધર્મોમાં પણ (સાત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com