________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
सत्त पयडीणं उवसमदो होदि उवसमं सम्मं । खयदो य होदि खइयं केवलिमूले मणूसस्स ।। ३०८ ।। सप्तानां प्रकृतीनां उपशमतः भवति उपशमं सम्यक्त्वम् । क्षयत: च भवति क्षायिकं केवलिमूले मनुष्यस्य ।। ३०८ ।।
અર્થ:- મિથ્યાત્વ, સભ્યમિથ્યાત્વ, સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઔપમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઊપજે છે.
ભાવાર્થ:- અહીં એમ-જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વનો પ્રારંભ તો કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા ) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે.
૧
હવે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે તે કહે છે :अणउदयादो छद्धं सजाइरूवेण उदयमाणाणं । सम्मत्तकम्मउदए खयउवसमियं हवे सम्मं ।। ३०९ ।। अनुदयात् षण्णां स्वजातिरूपेण उदयमानानाम् । सम्यक्त्वकर्मोदये क्षायोपशमिकं भवेत् सम्यक्त्वम्।। ३०९।।
અર્થ:- પૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યકર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે.
ભાવાર્થ:- મિથ્યાત્વ અને સમ્યમિથ્યાત્વના ઉદયનો અભાવ
૧ જુઓ ગોમ્મટ જીવ ગાથા ૬૪૭
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com