SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪ ] [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सत्त पयडीणं उवसमदो होदि उवसमं सम्मं । खयदो य होदि खइयं केवलिमूले मणूसस्स ।। ३०८ ।। सप्तानां प्रकृतीनां उपशमतः भवति उपशमं सम्यक्त्वम् । क्षयत: च भवति क्षायिकं केवलिमूले मनुष्यस्य ।। ३०८ ।। અર્થ:- મિથ્યાત્વ, સભ્યમિથ્યાત્વ, સમ્યક્પ્રકૃતિમિથ્યાત્વ, અનંતાનુબંધી ક્રોધ-માન-માયા-લોભ એ સાત મોહકર્મની પ્રકૃતિઓનો ઉપશમ થતાં ઔપમિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે તથા એ સાતે મોહકર્મની પ્રકૃતિઓનો ક્ષય થતાં ક્ષાયિક સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ કેવળજ્ઞાની વા શ્રુતકેવળીના નિકટપણામાં કર્મભૂમિના મનુષ્યને જ ઊપજે છે. ભાવાર્થ:- અહીં એમ-જાણવું કે ક્ષાયિક સમ્યક્ત્વનો પ્રારંભ તો કેવલી-શ્રુતકેવલીની નિકટતામાં કર્મભૂમિના મનુષ્યને જ થાય છે તથા તેની નિષ્ઠાપના (પૂર્ણતા ) અન્ય ગતિમાં (ચારે ગતિમાંથી કોઈ એકમાં) પણ થાય છે. ૧ હવે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કેવી રીતે થાય છે તે કહે છે :अणउदयादो छद्धं सजाइरूवेण उदयमाणाणं । सम्मत्तकम्मउदए खयउवसमियं हवे सम्मं ।। ३०९ ।। अनुदयात् षण्णां स्वजातिरूपेण उदयमानानाम् । सम्यक्त्वकर्मोदये क्षायोपशमिकं भवेत् सम्यक्त्वम्।। ३०९।। અર્થ:- પૂર્વોક્ત સાત પ્રકૃતિઓમાંથી છ પ્રકૃતિઓનો ઉદય ન હોય તથા સજાતિરૂપે એટલે સમાનજાતીય પ્રકૃતિરૂપે ઉદય હોય તથા સમ્યકર્મપ્રકૃતિનો ઉદય થતાં ક્ષાયોપશમિક સમ્યક્ત્વ થાય છે. ભાવાર્થ:- મિથ્યાત્વ અને સમ્યમિથ્યાત્વના ઉદયનો અભાવ ૧ જુઓ ગોમ્મટ જીવ ગાથા ૬૪૭ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy