________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
૧૭૫ હોય, સમ્યફપ્રકૃતિનો ઉદય હોય, અનંતાનુબંધી ક્રોધ-માન-માયાલોભના ઉદયનો અભાવ હોય તથા વિસંયોજન કરી અપ્રત્યાખ્યાનાવરણાદિરૂપથી ઉદયમાન હોય, તે વેળા ક્ષાયોપથમિક સમ્યકત્વ ઊપજે છે. આ ત્રણે સમ્યકત્વની ઉત્પત્તિનું વિશેષ કથન શ્રી ગોમ્મદસાર-લબ્ધિસારથી જાણવું.
હવે ઔપશમિક-ક્ષાયોપથમિક સમ્યકત્વ, અનંતાનુબંધીનું વિસંયોજન તથા દેશવ્રત-એ ત્રણેનું પ્રાપ્ત થવું તથા છૂટી જવું ઉત્કૃષ્ટતાથી કહે છે :गिदि मुंचदि जीवो बे सम्मत्ते असंखवाराओ। पढमकसायविणासं देसवयं कुणइ उक्किठें।। ३१०।।
गृह्णाति मुञ्चति जीवः द्वे सम्यक्त्वे असंख्यवारान्। प्रथमकषायविनाशं देशव्रतं करोति उत्कृष्टम्।। ३१० ।।
અર્થ - પથમિક-ક્ષાયોપથમિક એ બંને સમ્યકત્વ તથા અનંતાનુબંધીનો વિનાશ અર્થાત્ વિસંયોજન ( એટલે તેને અપ્રત્યાખ્યાનાદિરૂપ પરિણમાવવું) અને દેશવ્રત એ ચારેને આ જીવ ઉત્કૃષ્ટ અસંખ્યાત વાર ગ્રહણ કરે છે તથા છોડ છે.
ભાવાર્થ - પલ્યના અસંખ્યાતમાં ભાગપ્રમાણ જે અસંખ્યાત છે તેટલી વાર ઉત્કૃષ્ટપણે (ઉપરનાં ચારેને) આ જીવ ગ્રહણ કરે તથા છોડે, તે પછી મુક્તિ પ્રાપ્ત થાય છે.
એ પ્રમાણે સાત પ્રકૃતિના ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલું સમ્યકત્વ જેનાથી જાણી શકાય એવા તત્ત્વાર્થ
૧ જે ત્રણ કરણ વડે અનંતાનુબંધીના પરમાણુઓને અન્ય ચારિત્રમોહનીયની પ્રકૃતિરૂપ પરિણમાવી તેની (અનંતાનુબંધીની) સત્તાનો નાશ કરવામાં આવે તેનું નામ વિસંયોજન છે.
(જુઓ ગુજરાતી મોક્ષમાર્ગપ્રકાશક અo ૯ પૃષ્ઠ ૩૩૬ ) Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com