________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ધર્માનુપ્રેક્ષા]
[ ૧૭૧ તેને જ્ઞાનગોચર નથી. જે સર્વ પદાર્થોને પ્રત્યક્ષ દેખે તે ધર્મનું
સ્વરૂપ પણ પ્રત્યક્ષ દેખે. એટલા માટે એ ધર્મનું સ્વરૂપ શ્રીસર્વજ્ઞદેવનાં વચનથી જ પ્રમાણ છે, અન્ય છાનું કહેલું પ્રમાણ નથી, પરંતુ સર્વજ્ઞના વચનની પરંપરાપૂર્વક છમસ્થ કહે તે પ્રમાણ છે. તેથી ધર્મના સ્વરૂપકથનમાં મૂળકારણરૂપ સર્વજ્ઞનું અહીં સ્થાપન કર્યું.
હવે જે સર્વજ્ઞને માનતો નથી તેને કહે છે:जदि ण हवदि सव्वहू ता को जाणदि अदिदियं अत्थं। इंन्द्रियणाणं ण मुणदि थूलं पि असेसपज्जायं।। ३०३।। यदि न भवति सर्वज्ञः ततः कः जानाति अतीन्द्रियं अर्थम्। इन्द्रियज्ञानं न जानाति स्थूलं अपि अशेषपर्यायम्।।३०३।।
અર્થ- હે સર્વજ્ઞના અભાવવાદી? જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિય પદાર્થો- ઇન્દ્રિયગોચર નથી એવા પદાર્થોને-કોણ જાણે? ઇન્દ્રિયજ્ઞાન તો ઇન્દ્રિયોના સંબંધમાં આવેલા વર્તમાન સ્થલ પદાર્થોને જાણે છે. તેના પણ સમસ્ત પર્યાયોને તે જાણતું નથી.
ભાવાર્થ- સર્વજ્ઞનો અભાવ મીમાંસક તથા નાસ્તિક કહે છે. તેમને અહીં નિષેધ્યા છે કે જો સર્વજ્ઞ ન હોય તો અતીન્દ્રિયપદાર્થોને કોણ જાણે? કારણ કે ધર્મ-અધર્મનું ફળ તો અતીન્દ્રિય છે, તેને સર્વજ્ઞ વિના (યથાર્થ-પૂર્ણ) કોઈ જાણી શકતું નથી. એટલા માટે ધર્મ-અધર્મના ફળને ચાહતો જે પુરુષ છે તે તો સર્વજ્ઞને માન્ય કરી તેમના વચનાનુસાર ધર્મના સ્વરૂપનો નિશ્ચય કરી અંગીકાર કરો! तेणुवइट्ठ धम्मो संगासत्ताण तह असंगाणं। पढमो बारहभेओ दहभेओ भासिओ बिदिओ।।३०४।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com