________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બોધિદુર્લભાનુપ્રેક્ષા ]
[ १९५
रयणं चउप्पहे पिव मणुयत्तं सुठु दुल्लहं लहिय । मिच्छो हवेइ जीवो तत्थ वि पावं समज्जेदि ।। २९० ।।
रत्नं चतुष्पथे इव मनुजत्वं सुष्ठु दुर्लभं लब्ध्वा। म्लेच्छः भवति जीवः तत्र अपि पापं समर्जयति ।। २९० ।।
અર્થ:- તિર્યંચમાંથી નીકળી મનુષ્યગતિ પામવી અતિ દુર્લભ છે. જેમ ચાર પંથ વચ્ચે રત્ન પડી ગયું હોય તો તે મહાભાગ્ય હોય તો જ હાથમાં આવે છે તેમ (માનવપણું) દુર્લભ છે. વળી આવો દુર્લભ મનુષ્યદેહ પામીને પણ જીવ મિથ્યાદષ્ટિ બની પાપ ઉપજાવે છે.
ભાવાર્થ:- મનુષ્ય પણ કદાચિત્ થાય તો ત્યાં મ્લેચ્છખંડ આદિમાં વા મિથ્યાદષ્ટિઓની સંગતિમાં ઊપજી પાપ જ ઉપજાવે છે.
હવે કહે છે કે-મનુષ્ય પણ થાય અને તે આર્યખંડમાં પણ ઊપજે તોપણ ત્યાં ઉત્તમ કુળાદિ પામવાં અતિ દુર્લભ છેઃअह लहदि अज्जवत्तं तह ण वि पावेइ उत्तमं गोत्तं । उत्तम कुले वि पत्ते धणहीणो जायदे जीवो ।। २९९ ।। अथ लभते आर्यावर्तं तथा न अपि प्राप्नोति उत्तमं गोत्रम् । उत्तमकुले अपि प्राप्ते धनहीनः जायते धनहीनः जायते जीवः ।। २९९ ।।
અર્થ:- મનુષ્યપર્યાય પામી કદાચિત્ આર્યખંડમાં પણ જન્મ પામે તો ત્યાં ઉચ્ચ કુળ પામવું દુર્લભ છે. કદાચિત્ ઉચ્ચ કુળમાં પણ જન્મ પામે તો ત્યાં ધનહીન દરિદ્રી થાય અને તેનાથી કાંઈ સુકૃત્ય નહિ બનતાં પાપમાં જ લીન રહે છે.
अह धणसहिदो होदि हु इंदियपरिपुण्णदा तदो दुलहा । अहं इंदियसंपुण्णो तह वि सरोओ हवे देहो ।। २९२ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com