SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૬૪] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા ભાવાર્થ- કદાચિત્ પંચેન્દ્રિય થાય તો અસંજ્ઞી થાય છે પણ સંજ્ઞીપણું દુર્લભ છે. વળી સંજ્ઞી પણ થાય તો ત્યાં દૂર તિર્યંચ થાય કે જેના પરિણામ નિરંતર પાપરૂપ જ રહે છે. હવે ક્રૂર પરિણામીઓનો નરકવાસ થાય છે એમ કહે છે - सो तिव्वअसुहलेसो णरये णिवडेइ दुक्खदे भीमे। तत्थ वि दुक्खं भुंजदि सारीरं माणसं पउरं ।। २८८।। स: तीव्राशुभलेश्य: नरके निपतति दुःखदे भीमे। तत्र अपि दुःखं भुङ्क्ते शारीरं मानसं प्रचुरम्।। २८८ ।। અર્થ- કૂર તિર્યંચ થાય તો તે તીવ્ર અશુભ પરિણામથી અશુભ લેશ્યા સહિત મરી નરકમાં પડે છે. કેવું છે નરક? મહાદુઃખદાયક અને ભયાનક છે. ત્યાં શરીરસંબંધી તથા મનસંબંધી પ્રચુર (ઘણાં તીવ્રઆકરાં) દુઃખ ભોગવે છે. હવે કહે છે કે-એ નરકમાંથી નીકળી તિર્યંચ થાય તો ત્યાં પણ દુ:ખ સહે છે:तत्तो णीसरिदूणं पुणरवि तिरिएसु जायदे पावं। तत्थ वि दुक्खमणंतं विसहदि जीवो अणेयविहं ।। २८९ ।। ततः निःसृत्य पुनरपि तिर्यक्षु जायते पापं। तत्र अपि दुःखं अनन्तं विषहते जीवः अनेकविधम्।। २८९ ।। અર્થ એ નરકમાંથી નીકળી ફરી તિર્યંચગતિમાં ઊપજે છે; ત્યાં પણ જેમ પાપરૂપ થાય તેમ આ જીવ અનેક પ્રકારનાં અનંત દુઃખ વિશેષતા પૂર્વક સહે છે. હવે કહે છે કે મનુષ્યપણું પામવું મહાદુર્લભ છે. ત્યાં પણ મિથ્યાદષ્ટિ બની પાપ ઉપજાવે છે – Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy