SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બોધિદુર્લભાનુપ્રેક્ષા] . [ ૧૬૩ ભાવાર્થ - પૃથ્વી આદિ સ્થાવરકાયથી નીકળી ચિંતામણિરત્નની માફક ત્રસપર્યાય પામવી દુર્લભ છે. હવે કહે છે કે-ત્રણપણે પણ પામે તો ત્યાં પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છેઃवियलिंदिएसु जायदि तत्थ वि अच्छेदि पुव्वकोडीओ। तत्तो णीसरिदूणं कहमवि पंचिंदिओ होदि।। २८६।। विकलेन्द्रियेषु जायते तत्र अपि आस्ते पूर्वकोट्यः। તત: નિઃસૃત્ય થમ િપન્વેન્દ્રિય: મવતિના ૨૮દ્દાઓ અર્થ:- સ્થાવરમાંથી નીકળી ત્રસ થાય ત્યાં પણ બેઈન્દ્રિય, ત્રણઇન્દ્રિય, ચારઈન્દ્રિયરૂપ વિકલત્રયપણાને પામે. ત્યાં (ઉત્કૃષ્ટ) કરોડો પૂર્વ રહે છે. ત્યાંથી નીકળી મહાકષ્ટથી પંચેન્દ્રિયપણું પામે છે. ભાવાર્થ- વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિયપણું પામવું દુર્લભ છે. જો વિકલત્રયમાંથી ફરી સ્થાવરકાયમાં જઈ ઉત્પન્ન થાય તો ત્યાં ફરી ઘણો કાળ ભોગવે; એટલા માટે પંચેન્દ્રિયપણું પામવું અતિશય દુર્લભ છે. सो वि मणेण विहीणो ण य अप्पाणं परं पि जाणेदि। अह मणसहिदो होदि हु तह वि तिरिक्खो हवे हो।। २८७।। सः अपि मनसा विहीन: न च आत्मानं परं अपि जानाति। अथ मनः सहितः भवति स्फुटं तथा अपि तिर्यक् भवेत् रुद्रः ।। २८७।। અર્થ- વિકલત્રયમાંથી નીકળી પંચેન્દ્રિય કદી થાય તો અસંજ્ઞી–મનરહિત થાય છે. ત્યાં સ્વ તથા પરનો ભેદ જાણતો નથી. કદાચિત્ મનસહિત સંશી પણ થાય તો દ્ધ તિર્યંચ થાય છે અર્થાત બિલ્લી, ઘુવડ, સર્પ, સિંહ અને મચ્છાદિ ક્રૂર તિર્યંચ થાય છે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy