________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧. બોધિદુર્લભ અનુપ્રેક્ષા
जीवो अणंतकालं वसइ णिगोएसु 'आइपरिहीणो । तत्तो णीसरिदूणं पुढवीकायादिओ होदि । । २८४ ।। जीवः अनन्तकालं वसति निगोदेषु आदिपरिहीनः । निःसृत्य पृथ्वीकायादिकः ભવતિ।।૨૮૪૫|
તત:
અર્થ:- આ જીવ, સંસારમાં અનાદિકાળથી માંડી અનંતકાળ તો નિગોદમાં રહે છે અને ત્યાંથી નીકળી પૃથ્વીકાયાદિ પર્યાયને ધારણ કરે છે. અનાદિથી અનંતકાળ સુધી નિત્યનિગોદમાં જીવનો વાસ છે. ત્યાં એક શરીરમાં અનંતાનંત જીવોના આહાર, શ્વાસોશ્વાસ, જીવન-મરણ સમાન છે. એક શ્વાસના અઢારમા ભાગ જેટલું આયુષ્ય છે. ત્યાંથી નીકળી કદાચિત્ પૃથ્વી-અપ-તેજ-વાયુકાયપર્યાય પામે છે. એ પર્યાયો પામવી દુર્લભ છે.
હવે કહે છે કે-ત્યાંથી નીકળી ત્રસપર્યાય પામવી દુર્લભ છેઃतत्थ वि असंखकालं बायरसुहुमेसु कुणइ परियत्तं । चिंतामणि व्व दुलहं तसत्तण लहदि દેશ।। ૨૮૬।। तत्र अपि असंख्यकालं बादरसूक्ष्मेसु करोति परिवर्तनम् । चिंतामणिवत् दुर्लभं त्रसत्वं लभते દેન।।૨૮।।
અર્થ:- ત્યાં પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ તથા બાદ૨કાયોમાં અસંખ્યાત કાળ ભ્રમણ કરે છે. ત્યાંથી નીકળી ત્રણપણું પામવું ઘણા કટૈ પણ દુર્લભ છે; જેમ ચિંતામણિ પામવો દુર્લભ છે તેમ.
૧ ‘આપ પરિહીનો' એવો પણ પાઠ છે તેનો એવો અર્થ છે કે આયુથી પરિહીન શ્વાસના અઢારમાભાગે જેનું આયુ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com