________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે કહે છે કે-જે તત્ત્વજ્ઞાની સર્વ પરિગ્રહનો ત્યાગી થાય છે તે સ્ત્રી આદિને વશ થતો નથી:सो ण वसो इत्थिजणे सो ण जिओ इंदिएहिं मोहेण। जो ण य गिहदि गंथं अभंतर- बाहिरं सव्वं ।। २८२।। सः न वशः स्त्रीजने सः न जित: इन्द्रियैः मोहेन। य: न च गृह्णाति ग्रन्थं आभ्यन्तरबाह्यं सर्वम्।। २८२।।
અર્થ- જે પુરુષ તત્ત્વનું સ્વરૂપ જાણી બાહ્ય-અભ્યતર સર્વ પરિગ્રહને ગ્રહણ કરતો નથી તે પુરુષ સ્ત્રીજનને વશ થતો નથી, તે જ પુરુષ ઇન્દ્રિયોથી જિતાઈ જતો નથી તથા તે જ પુરુષ મોહકર્મ જે મિથ્યાત્વકર્મ તેનાથી જિતાતો નથી.
ભાવાર્થ- સંસારનું બંધન પરિગ્રહ છે. જે સર્વ પરિગ્રહને છોડ તે જ સ્ત્રી- ઈન્દ્રિય-કપાયાદિને વશીભૂત થતો નથી. સર્વત્યાગી થઈ શરીરનું પણ મમત્વ ન રાખે તો તે નિજસ્વરૂપમાં જ લીન થાય છે.
હવે લોકાનુપ્રેક્ષાના ચિતવનનું માહાભ્ય પ્રગટ કરે છેएवं लोयसहावं जो झायदि उवसमेक्कसब्भावो। सो खविय कम्मपुंजं तस्सेव सिहामणी होदि।। २८३ ।। एवं लोकस्वभावं यः ध्यायति उपशमैकसद्भावः। सः क्षपयित्वा कर्मपुजं तस्य एव शिखामणिः भवति।। २८३।।
અર્થ- જે પુરુષ ઉપશમ કરી એક સ્વભાવરૂપ થયો થકો આ પ્રમાણે લોકસ્વરૂપને ધ્યાવે છે-ચિંતવન કરે છે તે પુરુષ ક્ષપિતનાશ કર્યો છે કમપેજ જેણે એવો, એ લોકનો જ શિખામણિ (ચૂડામણિ ) થાય છે.
ભાવાર્થ- એ પ્રમાણે (જે પુરુષ) સામ્યભાવ કરી લોકાનુપ્રેક્ષાનું ચિંતવન કરે છે તે પુરુષ કર્મનો નાશ કરી લોકના શિખરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com