________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૯ ભાવવું અને ધારવું ઉત્તરોત્તર દુર્લભ છે. આ પંચમ કાળમાં તત્ત્વના યથાર્થ વક્તા દુર્લભ છે તથા તેને ધારણ કરવાવાળા પણ દુર્લભ છે.
હવે કહે છે કે ઉપર કહેલા તત્ત્વને સાંભળી તેને નિશ્ચલભાવથી જે ભાવે છે તે તત્ત્વને જાણે છે:
तच्चं कहिउमाणं णिच्चलभावेण गिलदे जो हि। तं चिय भावेदि सया सो वि य तच्चं वियाणेइ।। २८०।। तत्त्वं कथ्यमानं निश्चलभावेन गृह्णाति यः हि। तत् एव भावयति सदा सः अपि च तत्त्वं विजानाति।।२८०।।
અર્થ- જે પુરુષ ગુરુજનો દ્વારા કહેલું જે તત્ત્વનું સ્વરૂપ તેને નિશ્ચલભાવથી ગ્રહણ કરે છે-તેને અન્ય ભાવના છોડી નિરંતર ભાવે છે તે પુરુષ તત્ત્વને જાણે છે.
હવે કહે છે કે તત્ત્વની ભાવના નથી કરતો એવો કયો પુરુષ છે કે જે સ્ત્રી આદિને વશ નથી? અર્થાત્ સર્વ લોક છે:को ण वसो इत्थिजणे कस्स ण मयणेण खंडियं माणं। को इंदिएहिं ण जिओ को ण कसाएहिं संतत्तो।। २८१।। क: न वशः स्त्रीजने कस्य न मदनेन खण्डितः मानः। વ: રુન્દ્રિઃ ન fજત: 5: ૧ વરુષાર્થ: સંતH:ોા ૨૮૨
અર્થ - આ લોકમાં સ્ત્રીજનને વશ કોણ નથી ? કામથી જેનું અંત:કરણ ખંડિત નથી થયું એવો કોણ છે? ઇન્દ્રિયોથી જે નથી જિતાઈ ગયો એવો કોણ છે? તથા કષાયોથી જે નથી તસાયમાન થયો એવો કોણ છે?
ભાવાર્થ - વિષય-કષાયને વશ સર્વ લોક છે પણ તત્ત્વની ભાવના કરવાવાળા કોઈ વિરલા છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com