________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮]
[ સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા હવે નયોના કથનને સંકોચે છે - एवं विविहणएहिं जो वत्थु ववहरेदि लोयम्हि। दंसणणाणचरित्तं सो साहदि सग्गमोक्खं च।। २७८ ।। एवं विविधनयैः यः वस्तु व्यवहरति लोके। दर्शनज्ञानचरित्रं स: साधयति स्वर्गमोक्षौ च।। २७८।।
અર્થ:- જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહારરૂપ કહે છે–સાધે છે- પ્રવર્તાવે છે તે પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રને સાધે છે તથા સ્વર્ગ-મોક્ષને સાધે છે.
ભાવાર્થ- પ્રમાણ-નયથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સધાય છે. જે પુરુષ પ્રમાણ- નયોનું સ્વરૂપ જાણી વસ્તુને યથાર્થ વ્યવહારરૂપ પ્રવર્તાવે છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન- ચારિત્રની તથા તેના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે તત્ત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવાવાળા વિરલા છે - विरला णिसुणहि तचं विरला जाणंति तच्चदो तच्चं। विरला भावहि तचं विरलाणं धारणा होदि।। २७९ ।। विरलाः निशृण्वन्ति तत्त्वं विरला: जानन्ति तत्त्वतः तत्त्वम्। विरला: भावयन्ति तत्त्वं विरलानां धारणा भवति।। २७९ ।।
અર્થ- જગતમાં તત્ત્વને કોઈ વિરલા પુરુષ સાંભળે છે, સાંભળીને પણ તત્ત્વને યથાર્થરૂપે વિરલા જ જાણે છે, જાણીને પણ તત્ત્વની ભાવના અર્થાત્ પુનઃ પુનઃ અભ્યાસ વિરલા જ કરે છે તથા અભ્યાસ કરીને પણ તત્ત્વની ધારણા તો વિરલાઓને જ હોય છે.
ભાવાર્થ- તત્ત્વાર્થનું યથાર્થ સ્વરૂપ સાંભળવું, જાણવું,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com