SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૧૫૭ यः एकैकं अर्थं परिणतिभेदेन साधयति ज्ञानम्। मुख्यार्थं वा भाषते अभिरूढं तत् नयं जानीहि।। २७६ ।। અર્થ- જે નય વસ્તુને પરિણામના ભેદથી એક એક જુદા જુદા ભેદરૂપ સાથે અથવા તેમાંના મુખ્ય અર્થને ગ્રહણ કરી સાધે તે સમભિરૂઢનય જાણવો. ભાવાર્થ:- શબ્દનય વસ્તુના પર્યાયનામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમભિરૂઢનય છે તે એક વસ્તુનાં પર્યાયનામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે, ત્યાં જેને મુખ્ય કરી પકડે તેને સદા તેવો જ કહે છે. જેમ-ગૌ” શબ્દના ઘણા અર્થ છે તથા ગૌ' પદાર્થના ઘણાં નામ છે તેને આ નય જુદા જુદા પદાર્થ માને છે. તેમાંથી મુખ્યપણે “ગૌ” પદાર્થ પકડ્યો તેને ચાલતાં-બેસતાં-સૂતાં ગૌ” જ કહ્યા કરે છે તે સમભિરૂઢનય છે. - હવે એવભૂતનય કહે છે – जेण सहावेण जदा परिणदरूवम्मि तम्मयत्तादो। तं परिणामं साहदि जो वि णओ सो हु परमत्थो।। २७७।। येन स्वभावेन यदा परिणतरूपे तन्मयत्वात्। तं परिणाम साधयति यः अपि नयः सः खलु परमार्थः।। २७७।। અર્થ- વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે, તેથી તે જ પરિણામરૂપ (વસ્તુને) સાધે-કહે તે એવભૂતનય છે. આ નય પરમાર્થરૂપ છે. ભાવાર્થ:- જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમનરૂપ જે કાળે (વસ્તુ) પરિણમે તેને તે જ નામથી કહે તે અવંભૂતનય છે, તેને નિશ્ચય (નય) પણ કહેવામાં આવે છે. જેમ “ગૌને ચાલે ત્યારે જ ગાય કહે પણ અન્ય કાળે ન કહે. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy