________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬].
[સ્વામિકાર્તિકયાનુપ્રેક્ષા છે; તે વસ્તુને પર્યાયમાત્ર જ કહે છે. વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાનકાળસ્થાયી પર્યાયને પણ ઋજુસૂત્રનય સાધે છે તેથી તેની સ્કૂલ જાસૂત્ર સંજ્ઞા છે. એ પ્રમાણે પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ ઋજાસૂત્રનય મળી ચારે નયોને અર્થનય કહેવામાં આવે છે.
હવે ત્રણ પ્રકારના શબ્દનયો કહે છે. ત્યાં પહેલાં શબ્દનય કહે છે:
सव्वेसिं वत्थूणं संखालिंगाद-बहुपयारेहिं। जो साहदि णाणत्तं सद्दणयं तं वियाणेह।। २७५।। सर्वेषां वस्तूनां संख्यालिङ्गादिबहुप्रकारैः। यः साधयति नानात्वं शब्दनयं तं विजानीहि ।। २७५।।
અર્થ:- જે નય સર્વ વસ્તુઓના, સંખ્યા-લિગ આદિ ઘણા પ્રકારે, નાનાપણાને સાથે તેને શબ્દન, જાણો.
ભાવાર્થ-સંખ્યા-એકવચન-દ્વિવચન-બહુવચન, લિંગ-સ્ત્રીપુરુષ-નપુંસકદર્શક વચન, આદિ શબ્દથી કાળ, કારક, પુરુષ, ઉપસર્ગ લેવો. એ વડ વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદરૂપથી કહે તે શબ્દનય છે. જેમકે-પુષ્ય-તારકા-નક્ષત્રરૂપ એક જ્યોતિષીના વિમાનના ત્રણે લિંગ કહે, ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે, કારણ કે એ જ પુરુષ, એ જ સ્ત્રી- નપુંસક શી રીતે હોય? તોપણ શબ્દનયનો આ જ વિષય છે કે જેવો શબ્દ કહે તેવો જ અર્થને ભેદરૂપ માનવો.
હવે સમભિરૂઢનયને કહે છે:जो एगेगं अत्थं परिणदिभेदेण साहदे णाणं। मुक्खत्थं वा भासदि अहिरूढं तं णयं जाण।। २७६ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com