________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૫ તેને પરમાણુ પર્યત નિરંતર જે નય ભેદે તે વ્યવહારનય છે.
ભાવાર્થ- સંગ્રહનયે સર્વને સત્ કહ્યું, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે- દ્રવ્યસત્ છે પર્યાયસત્ છે. સંગ્રહનય દ્રવ્યસામાન્યને રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે દ્રવ્ય જીવ-અજીવ બે ભેદરૂપ છે. સંગ્રહનય જીવસામાન્યને રહે છે ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે જીવ સંસારી ને સિદ્ધ બે ભેદરૂપ છે; ઈત્યાદિ. વળી સંગ્રહનય પર્યાયસામાન્યને સંગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરે છે કે પર્યાય અર્થપર્યાય તથા વ્યંજનપર્યાયરૂપ બે ભેદથી છે. એ જ પ્રમાણે સંગ્રહનય અજીવસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય ભેદ કરી અજીવ એવાં પુદ્ગલાદિ પાંચે દ્રવ્યો ભેદરૂપ છે. સંગ્રહનય પુગલસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય અણુ-સ્કંધ-ઘટપટાદિ ભેદરૂપ કહે છે. એ પ્રમાણે જેને સંગ્રહનય ગ્રહણ કરે તેમાં વ્યવહારનય ભેદ કરતો જાય છે અને તે ત્યાં સુધી કે ફરી બીજો ભેદ થઈ શકે નહિ. ત્યાં સુધી સંગ્રહું-વ્યવહારનયનો વિષય છે. એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ કહ્યા.
હવે પર્યાયાર્થિકનયના ભેદ કહે છે. ત્યાં પ્રથમ ઋજુસૂત્રનય કહે છેઃ
जो वट्टमाणकाले अत्थपज्जायपरिणदं अत्थं। संतं साहदि सव्वं तं पि णयं रिजुणयं जाण।। २७४।। यः वर्तमानकाले अर्थपर्यायपरिणतं अर्थम्। सन्तं साधयति सर्वं तमपि नयं: ऋजुनयं जानीहि।। २७४।।
અર્થ- વર્તમાનકાળમાં અર્થપર્યાયરૂપ પરિણમેલા અર્થને સર્વને સતરૂપ સાધ (ગ્રહણ કરે) તે ઋજુસૂત્રનય છે.
ભાવાર્થ- વસ્તુ સમયે સમયે પરિણમે છે. વર્તમાન એક સમયની પર્યાયને અર્થપર્યાય કહે છે અને તે ઋજુસૂત્રનયનો વિષય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com