________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૫૩
પણા સહિત અણુ-સ્કંધ-ઘટ-પટ આદિ તેનાં વિશેષ છે, ઈત્યાદિ પર્યાયાર્થિકનય હેતુપૂર્વક સાધવામાં આવે છે.
હવે દ્રવ્યાર્થિકનયના ભેદો કહે છે; ત્યાં પહેલાં નૈગમનય કહે
છેઃ
जो साहेदि अदीदं वियप्परूवं भविस्समठ्ठे च । संपडिकालाविद्वं सो हु णयो णेगमो णेओ ।। २७९ ।। यः साधयति अतीतं विकल्परूपं भविष्यं अर्थं च । सम्प्रतिकालाविष्टं सः स्फुटं नयः नैगमः ज्ञेयः ।। २७९ ।।
અર્થ:- જે નય ભૂત, ભવિષ્ય તથા વર્તમાનરૂપ વિકલ્પથી સંકલ્પમાત્ર (પદાર્થને ) સાથે તે નૈગમનય છે.
ર
ભાવાર્થ:- ત્રણ કાળના પર્યાયોમાં અન્વયરૂપ છે તે દ્રવ્ય છે. તેને પોતાના વિષયથી ભૂતકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે, ભાવિકાળની પર્યાયને પણ વર્તમાનવત્ સંકલ્પમાં લે તથા વર્તમાનકાળની પર્યાયને તે કિંચિત્ નિષ્પન્ન હોય વા અનિષ્પન્ન હોય તોપણ નિષ્પન્નરૂપ સંકલ્પમાં લે એવા જ્ઞાન તથા વચનને નૈગમનય કહે છે. તેના અનેક ભેદ છે. સર્વ નયના વિષયને મુખ્યતા-ગૌણતાથી પોતાના સંકલ્પરૂપે વિષય કરે છે. જેમ કે-મનુષ્ય નામના જીવદ્રવ્યને સંસા૨૫ર્યાય છે, સિદ્ધપર્યાય છે તથા આ મનુષ્યપર્યાય છે એમ કહે તો
ત્યાં સંસા૨પર્યાય તો અતીત- અનાગત-વર્તમાન ત્રણ કાળ સંબંધી પણ છે, સિદ્ધપણું અનાગત જ છે તથા મનુષ્યપણું વર્તમાન જ છે છતાં આ નયના વચનથી અભિપ્રાયમાં વર્તમાન- વિદ્યમાનવત્ સંકલ્પથી પરોક્ષરૂપ અનુભવમાં લઈને કહે કે ‘આ દ્રવ્યમાં, મારા જ્ઞાનમાં, હાલ આ પર્યાય
૧. નિષ્પન્ન
પ્રાત વા પ્રગટ ૨. અનિષ્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
=
=
અપ્રાત વા અપ્રગટ.