________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા जो साहदि सामण्णं अविणाभूदं विसेसरूवेहिं। णाणाजुत्तिबलादो दव्वत्थो सो णओ होदि।। २६९ ।।
यः साधयति सामान्यं अविनाभूतं विशेषरूपैः। नानायुक्तिबलात् द्रव्यार्थः सः नयः भवति।।२६९ ।।
અર્થ- જે નય વસ્તુને તેના વિશેષરૂપથી અવિનાભૂત સામાન્યસ્વરૂપને નાના પ્રકારની યુક્તિના બળથી સાધે તે દ્રવ્યાર્થિકાય છે.
ભાવાર્થ- વસ્તુનું સ્વરૂપ સામાન્ય-વિશેષાત્મક છે. વિશેષ વિના સામાન્ય હોતું નથી. એ પ્રમાણે યુક્તિના બળથી સામાન્યને સાધે તે દ્રવ્યાર્થિકનય છે.
હવે પર્યાયાર્થિકનયનું સ્વરૂપ કહે છે:जो साहेदि विसेसे बहुविहसामण्णसंजुदे सव्वे। साहणलिंगवसादो पजुयविसओ णओ होदि।। २७०।। यः साधयति विशेषान् बहुविधसामान्यसंयुतान् सर्वान्। साधनलिङ्गवशात् पर्यायविषय: नयः भवति।। २७०।।
અર્થ:- જે નય અનેક પ્રકારે સામાન્યસહિત સર્વ વિશેષને તેના સાધનનું જે લિંગ (ચિહ્ન) તેના વશથી સાથે તે પર્યાયાર્થિકાય છે.
ભાવાર્થ- સામાન્ય સહિત તેના વિશેષોને હેતુપૂર્વક સાધે તે પર્યાયાર્થિકનાય છે. જેમ સત્ સામાન્યપણા સહિત ચેતન-અચેતનપણે તેનું વિશેષ છે, ચિત્ સામાન્યપણા સહિત સંસારી–સિદ્ધ જીવપણું તેનું વિશેષ છે, સંસારીપણા સામાન્ય સહિત ત્ર-સ્થાવર જીવપણું તેનું વિશેષ છે, ઈત્યાદિ. વળી અચેતન સામાન્યપણા સહિત પુદ્ગલાદિ પાંચ દ્રવ્ય તેનાં વિશેષ છે તથા પુદ્ગલ સામાન્ય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com