________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[ ૧૫૧ यत् जानाति जीव: इन्द्रियव्यापारकायचेष्टाभिः। तत् अनुमानं भण्यते तमपि नयं बहुविधं जानीहि।। २६७।।
અર્થ - ઇન્દ્રિયોના વ્યાપાર અને કાયની ચેષ્ટાઓથી શરીરમાં જીવને જે જાણે છે તેને અનુમાન પ્રમાણ કહે છે. તે અનુમાનજ્ઞાન પણ નય છે અને તે અનેક પ્રકારના છે.
ભાવાર્થ- પહેલાં શ્રુતજ્ઞાનના વિકલ્પોને નય કહ્યા હતા, અહીં અનુમાનનું સ્વરૂપ કહ્યું કે શરીરમાં રહેલો જીવ પ્રત્યક્ષ ગ્રહણમાં આવતો નથી તેથી સ્પર્શન, સ્વાદન, વાણી, સુંઘવું, સાંભળવું, દેખવું વગેરે (ઇન્દ્રિયોના વ્યાપાર) તથા ગમન- આગમનાદિ કાયાની ચેષ્ટાઓથી જાણવામાં આવે છે કે “શરીરમાં જીવ છે. આ અનુમાનજ્ઞાન છે, કારણ કે સાધનથી સાધ્યનું જ્ઞાન થાય તેને અનુમાન કહે છે અને તે પણ નય જ છે. તેને પરોક્ષપ્રમાણના ભેદોમાં કહ્યું છે પણ તે પરમાર્થથી નય જ છે. તે અનુમાન સ્વાર્થ-પરાર્થના ભેદથી તથા હેતુ-ચિહ્નોના ભેદથી અનેક પ્રકારનું કહ્યું છે.
હવે નયના ભેદોને કહે છે:सो संगहेण एक्को दुविहो वि य दव्वपज्जुएहिंतो। तेसिं च विसेसादो णइगमपहुदी हवे णाणं ।। २६८।। सः संग्रहेन एकः द्विविधः अपि च द्रव्यपर्यायाभ्याम्। तयोः च विशेषात् नैगमप्रभृतिः भवेत् ज्ञानं ।। २६८ ।।
અર્થ- તે નય સંગ્રહપણાથી અર્થાત્ સામાન્યપણે તો એક છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક ભેદથી બે પ્રકારના છે. તથા વિશેષતાથી એ બંનેના ભેદોથી નૈગમન, આદિથી લઈને છે તે નય છે, અને તે જ્ઞાન જ છે.
હવે દ્રવ્યાર્થિકનયનું સ્વરૂપ કહે છે –
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com