________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- વસ્તુનો (કોઈ) એક ધર્મ, તે ધર્મનો વાચક શબ્દ તથા તે ધર્મને જાણવાવાળું જ્ઞાન એ ત્રણેય નયના વિશેષ (ભેદ) છે.
ભાવાર્થ- વસ્તુનું ગ્રહણ કરવાવાળું જ્ઞાન, તેનો વાચક શબ્દ તથા વસ્તુ, એને (એ ત્રણેને) જેમ પ્રમાણસ્વરૂપ કહેવામાં આવે છે તેમ નય પણ કહેવામાં આવે છે.
ક્વે વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે એવા એક નય (જ્ઞાન)ને મિથ્યાત્વ શા માટે કહેવામાં આવે છે? તેનો ઉત્તર કહે છે:ते सावेक्खा सुणया णिरवेक्खा ते वि दुण्णया होंति। सयलववहारसिद्धी सुणयादो होदि णियमेण।। २६६।। ते सापेक्षाः सुनयाः निरपेक्षाः ते अपि दुर्णयाः भवन्ति। सकलव्यवहारसिद्धिः सुनयात् भवति नियमेन।। २६६ ।।
અર્થ - પ્રથમ કહેલા ત્રણ પ્રકારના નય તે જો પરસ્પર અપેક્ષાસહિત હોય તો તે સુનય છે; પરંતુ એ જ જ્યારે અપેક્ષા રહિત સર્વથા એક એક ગ્રહણ કરવામાં આવે ત્યારે તે દુર્નય (મિથ્યાનય) છે. સુનયોથી સર્વ વ્યવહારની (વસ્તુના સ્વરૂપની) સિદ્ધિ થાય છે.
ભાવાર્થ- નય છે તે બધાય સાપેક્ષ હોય તો સુનય છે અને નિરપેક્ષ હોય તો કુનય છે. સાપેક્ષતાથી સર્વ વસ્તુવ્યવહારની સિદ્ધિ છે-સમ્યકજ્ઞાન સ્વરૂપ છે તથા કુનયોથી સર્વ લોકવ્યવહારનો લોપ થાય છે-મિથ્યાજ્ઞાનરૂપ છે.
હવે, પરોક્ષજ્ઞાનમાં અનુમાન પ્રમાણ પણ છે, તેનું દષ્ટાન્તપૂર્વક સ્વરૂપ કહે છે:जं जाणिज्जइ जीवो इंदियवावारकायचिट्ठाहिं। तं अणुमाणं भण्णदि तं पि णयं बहुविहं जाण।। २६७।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com