________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૪૯ હેતુથી સાધવામાં આવે કે “પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ સરૂપ છે”. એ પ્રમાણે નય, હેતુથી ઉપજે છે.
હવે, એક ધર્મને નય કેવી રીતે ગ્રહણ કરે છે તે કહે છે:णाणाधम्मजुदं पि य एयं धम्मं पि वुच्चदे अत्थं। तस्सेयविवक्खादो णत्थि विवक्खा हु सेसाणं ।। २६४।। नानाधर्मयुतः अपि च एकं धर्मं अपि उच्यते अर्थः। तस्यैकविवक्षातः नास्ति विवक्षा स्फुटं शेषाणाम्।। २६४।।
અર્થ- પદાર્થ નાના ધર્મથી યુક્ત છે તો પણ તેને કોઈ એક ધર્મરૂપ કહેવામાં આવે છે, કારણ કે એક ધર્મની જ્યાં વિવક્ષા કરવામાં આવે ત્યાં તે જ ધર્મને કહેવામાં આવે છે પણ બાકીના સર્વ ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી.
ભાવાર્થ- જેમ જીવવસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ આદિ અનેક ધર્મ છે; તે બધામાંથી કોઈ એક ધર્મની વિવક્ષાથી કહેવામાં આવે કે “જીવ ચેતનસ્વરૂપ જ છે” ઈત્યાદિ. ત્યાં અન્ય ધર્મની વિવેક્ષા નથી કરી પણ તેથી એમ ન જાણવું કે અન્ય ધર્મોનો અભાવ છે. પરંતુ અહીં તો પ્રયોજનના આશ્રયથી તેના કોઈ એક ધર્મને મુખ્ય કરી કહે છેઅન્યની અહીં વિવક્ષા નથી (એમ સમજવું ).
હવે વસ્તુના ધર્મને, તેના વાચક શબ્દને તથા તેના જ્ઞાનને નય કહે છે:सो चिय एक्को धम्मो वाचयसद्दो वि तस्स धम्मस्स। तं जाणदि तं णाणं ते तिण्णि व णयविसेसा य।। २६५।। सः एव एक: धर्म: वाचकशब्दः अपि तस्य धर्मस्य। तम् जानाति तत् ज्ञानं ते त्रयो अपि नयविशेषाः च।। २६५ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com