________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सव्वं पि अणेयंतं परोक्खरूवेण जं पयासेदि। तं सुयणाणं भण्णदि संसयपहुदीहिं परिचत्तं ।। २६२ ।। सर्वं अपि अनेकान्तं परोक्षरूपेण यत् प्रकाशयति। तत् श्रुतज्ञानं भण्यते संशयप्रभृतिभिः परित्यक्तम्।। २६२।।
અર્થ- જે જ્ઞાન સર્વ વસ્તુને અનેકાન્તસ્વરૂપ પરોક્ષરૂપે પ્રકાશજાણે-કહું તે શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન સંશય, વિપરીતતા અને અનધ્યવસાયથી રહિત છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.
ભાવાર્થ- જે સર્વ વસ્તુને અનેકાન્તરૂપ પરોક્ષરૂપે પ્રકાશે તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રનાં વચન સાંભળવાથી અર્થને જાણે તે પરોક્ષ જ જાણે છે; તથા શાસ્ત્રમાં બધીય વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે એમ સર્વ વસ્તુને જાણે વા ગુરુજનોના ઉપદેશપૂર્વક જાણે તો સંશયાદિક પણ રહે નહિ.
હવે શ્રુતજ્ઞાનના વિકલ્પ (ભેદ) છે તે નય છે. તેમનું સ્વરૂપ કહે છે
लोयाणं ववहारं धम्मविवक्खाइ जो पसाहेदि। सुयणाणस्स वियप्पो सो वि णओ लिंगसंभूदो।। २६३ ।। लोकानां व्यवहारं धर्मविवक्षया यः प्रसाधयति।। श्रुतज्ञानस्य विकल्पः सः अपि नयः लिङ्गसम्भूतः।। २६३ ।।
અર્થ- વસ્તુના એક ધર્મની વિવેક્ષાથી જે લોકોના વ્યવહારને સાધે તે નય છે અને તે શ્રુતજ્ઞાનનો વિકલ્પ (ભેદ) છે. વળી તે, લિંગ (ચિહ્ન) થી ઊપજ્યો છે.
ભાવાર્થ- વસ્તુના એક ધર્મની વિવક્ષા લઈ જે લોકવ્યવહારને સાધે તે શ્રુતજ્ઞાનનો અંશ નય છે, અને તે સાધ્યધર્મને હેતુપૂર્વક સાધે છે. જેમ વસ્તુના “સ” ધર્મને ગ્રહણ કરી તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com