________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૪૭ તથા મન દ્વારા-જાણવાની શક્તિ એક કાળમાં જ રહે છે, પરંતુ તેમાં ઉપયોગની વ્યક્તિરૂપ પ્રવૃત્તિ છે તે જ્ઞય પ્રત્યે ઉપયુક્ત થાય છે ત્યારે એક કાળમાં એકથી જ થાય છે. એવી જ ક્ષયોપશમજ્ઞાનની યોગ્યતા છે.
હવે, વસ્તુને અનેકાત્મપણું છે તો પણ અપેક્ષાથી એકાત્મપણું પણ છે એમ કહે છે – जं वत्थु अणेयंतं एयंतं तं पि होदि सविपेक्खं। सुयणाणेण णएहिं य णिरवेक्खं दीसदे णेव।। २६१।। यत् वस्तु अनेकान्तं एकान्तं तदपि भवति सव्यपेक्षम्। श्रुतज्ञानेन नयैः च निरपेक्षं दृश्यते नैव।। २६१ ।।
અર્થ:- જે વસ્તુ અનેકાન્ત છે તે અપેક્ષા સહિત એકાન્ત પણ છે. ત્યાં શ્રુતજ્ઞાનપ્રમાણથી સાધવામાં આવે તો વસ્તુ અનેકાન્ત જ છે તથા શ્રુતજ્ઞાનપ્રમાણના અંશરૂપ નયથી સાધવામાં આવે તો વસ્તુ એકાન્ત પણ છે અને તે અપેક્ષારહિત નથી કારણ કે નિરપેક્ષ નય મિથ્યા છે અર્થાત્ નિરપેક્ષતાથી વસ્તુનું સ્વરૂપ જોવામાં આવતું નથી.
ભાવાર્થવસ્તુના સર્વ ધર્મોને એક કાળમાં સાથે તે પ્રમાણ છે તથા તેના એક એક ધર્મોને જ ગ્રહણ કરે તે નય છે. તેથી એક નય બીજા નયની સાપેક્ષતા હોય તો વસ્તુ સાધી શકાય પણ અપેક્ષારહિત નય વસ્તુને સાધતો નથી. એટલા માટે અપેક્ષાથી વસ્તુ અનેકાન્ત પણ છે એમ જાણવું એ જ સમ્યકજ્ઞાન છે.
હવે “શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ વસ્તુને પ્રકાશે છે એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com