________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૪]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા અર્થ:- જ્ઞાન સર્વ લોક-અલોકને જાણે છે તેથી જ્ઞાનને સર્વગત પણ કહીએ છીએ, વળી જ્ઞાન છે તે જીવને છોડી અન્ય જ્ઞયપદાર્થોમાં જતું નથી.
ભાવાર્થ- જ્ઞાન સર્વ લોકાલોકને જાણે છે તેથી તેને સર્વગત વા સર્વવ્યાપક કહીએ છીએ. પરંતુ તે જીવદ્રવ્યનો ગુણ છે માટે જીવને છોડી અન્ય પદાર્થોમાં જતું નથી.
હવે “જ્ઞાન જીવના પ્રદેશોમાં રહીને જ સર્વને જાણે છે” એમ કહે છે:णाणं ण जादि णेयं णेयं पि ण जादि णाणदेसम्मि। णियणियदेसठियाणं ववहारो णाणणेयाणं ।। २५६ ।।
ज्ञानं न याति ज्ञेयं ज्ञेयं अपि न याति ज्ञानदेशे। निजनिजदेशस्थितानां व्यवहार: ज्ञानज्ञेयानाम्।। २५६ ।।
અર્થ - જ્ઞાન છે તે યમાં જતું નથી તથા જ્ઞય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતાં નથી; પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તોપણ જ્ઞાન તથા શેયમાં શૈય-જ્ઞાયક વ્યવહાર છે.
ભાવાર્થ:- જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટાદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય ! એ જ પ્રમાણે જ્ઞાન-જ્ઞયનો વ્યવહાર જાણવો.
હવે મન:પર્યય-અવધિજ્ઞાન તથા મતિ-શ્રુતજ્ઞાનનું સામર્થ્ય કહે છે:मणपजुयविण्णाणं ओहीणाणं च देसपच्चक्खं। मइसुयणाणं कमसो विसदपरोक्खं परोक्खं च।। २५७ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com