________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
सोडानुप्रेक्षu]
[१४३ ઘણું કહેવાથી બસ થાઓ ! એ પ્રમાણે પદાર્થોનું સ્વરૂપ કહ્યું.
હવે, એ પદાર્થોને જાણવાવાળું જ્ઞાન છે તેનું સ્વરૂપ કહે છે:णाणाधम्मेहिं जुदं अप्पाणं तह परं पि णिच्छयदो। जं जाणेदि सजोगं तं णाणं भण्णदे समए।। २५३ ।। नानाधG: युतं आत्मानं तथा परं अपि निश्चयतः। यत् जानाति स्वयोग्यं तत् ज्ञानं भण्यते समये।। २५३ ।।
અર્થ- જે નાના ધર્મો સહિત આત્માને તથા પરદ્રવ્યોને પોતાની યોગ્યતાનુસાર જાણે છે તેને સિદ્ધાન્તમાં નિશ્ચયથી જ્ઞાન કહે છે.
ભાવાર્થ- પોતાના આવરણના ક્ષયોપશમ કે ક્ષય અનુસાર જાણવાયોગ્ય પદાર્થ જે પોતે તથા પર, તેને જે જાણે છે તે જ્ઞાન છે. એ સામાન્યજ્ઞાનનું સ્વરૂપ કહ્યું.
હવે સર્વપ્રત્યક્ષ એવા કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છેઃजं सव्वं पि पयासदि दव्वपज्जायसंजुदं लोयं। तह य अलोयं सव्वं तं णाणं सव्वपच्चक्खं ।। २५४ ।। यत् सर्वं अपि प्रकाशयति द्रव्यपर्यायसंयुतं लोकम्। तथा च अलोकं सर्वं तत् ज्ञानं सर्वप्रत्यक्षम्।। २५४ ।।
અર્થ:- જે જ્ઞાન, દ્રવ્ય-પર્યાયસહિત સર્વ લોક તથા સર્વ અલોકને પ્રકાશે છે- જાણે છે તે સર્વપ્રત્યક્ષ કેવળજ્ઞાન છે.
३. नसर्वात. हे छ:सव्वं जाणदि जम्हा सव्वगयं तं पि वुच्चदे तम्हा। ण य पुण विसरदि णाणं जीवं चइऊण अण्णत्थ।। २५५ ।। सर्वं जानाति यस्मात् सर्वगतं तदपि उच्यते तस्मात्। न च पुन: विसरति ज्ञानं जीवं त्यक्त्वा अन्यत्र।। २५५ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com