________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
,
પણ નથી ’ તો એવું પછી ‘શૂન્ય છે' એમ
૧૪૨]
( અવિદ્યમાન ) કેમ થાય ? તથા કહેવાવાળો જાણવાવાળો પણ ન કોણે જાણ્યું ?
‘ કાંઈ
રહ્યો,
હવે આ જ ગાથા પાઠાન્તરરૂપે આ પ્રમાણે છેઃ
जदि सव्वं पि असतं ता सो वि य संतओ कहं भणदि । णत्थि त्ति किं पि तच्चं अहवा सुण्णं कहं मुणदि ।। यदि सर्वं अपि असत् तत् सः अपि च सत्कः कथं भणति । नास्ति इति किमपि तत्त्वं अथवा शून्यं कथं जानाति ।
અર્થ:- જો બધીય વસ્તુ અસત્ છે તો (અસત્ છે) એમ કહેવાવાળો નાસ્તિકવાદી પણ અસરૂપ ઠર્યો, તો પછી ‘કોઈપણ તત્ત્વ નથી' એમ તે કેવી રીતે કહે છે? અથવા કહેવાવાળો પણ નથી,’ તો શૂન્ય છે એમ શી રીતે જાણે છે?
"
,
ભાવાર્થ:- પોતે પ્રગટ વિધમાન છે અને કહે છે કે ‘કાંઈ પણ નથી ' પણ એમ કહેવું એ મોટું અજ્ઞાન છે; તથા શૂન્યતત્ત્વ કહેવું એ તો માત્ર પ્રલાપ (ફોગટ બકવાદ) જ છે, કારણ કે કહેવાવાળો જ નથી તો આ કહે છે કોણ ? તેથી નાસ્તિત્વવાદી માત્ર પ્રલાપી (મિથ્યા બકવાદી ) છે.
किं बहुणा उत्तेण य जेत्तियमेत्ताणि संति णामाणि । तेत्तियमेत्ता अत्था संति ते णियमेण परमत्था ।। २५२।।
किं बहुना उक्तेन च यावन्मात्राणि सन्ति नामानि । તાવન્માત્રા: અર્થા: સન્તિ 7 નિયેન પરમાર્થા:।। ૨।।
અર્થ:- ઘણું કહેવાથી શું? જેટલાં નામ છે તેટલા જ નિયમથી પદાર્થો ૫રમાર્થરૂપે છે.
ભાવાર્થ:- જેટલાં નામ છે તેટલા સત્યાર્થરૂપ પદાર્થો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com