________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૪૧ અર્થ:- દેહ-મકાન આદિ બાહ્ય પદાર્થો સર્વલોકપ્રસિદ્ધ છે તેમને પણ જો જ્ઞાન જ માનશો, તો તે વાદી જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
ભાવાર્થ- બાહ્ય પદાર્થને પણ જ્ઞાન જ માનવાવાળો જ્ઞાનનું સ્વરૂપ જ જાણતો નથી એ તો દૂર રહો, પણ જ્ઞાનનું નામ પણ જાણતો નથી.
હવે નાસ્તિવાદી પ્રત્યે કહે છે:अच्छीहिं पिच्छमाणो जीवाजीवादि- बहुविहं अत्थं। जो भणदि णत्थि किंचि वि सो झुठ्ठाणं महाझुठो।। २५०।। अक्षिभ्यां प्रेक्षमाणः जीवाजीवादि- बहुविधं अर्थम्। यः भणति नास्ति किञ्चिदपि सः जुष्टानां महाजुष्टः।। २५० ।।
અર્થ- જે નાસ્તિકવાદી જીવ-અજીવાદિ ઘણા પ્રકારના પદાર્થોને આંખો વડે પ્રત્યક્ષ દેખતો હોવા છતાં પણ કહે છે કે કાંઈ પણ નથી” તે અસત્યવાદીઓમાં પણ મહીં અસત્યવાદી છે.
ભાવાર્થ- પ્રત્યક્ષ દેખાતી વસ્તુને પણ “નથી' એમ કહેનારો મહા જpઠો છે. जं सव्वं पि य संतं ता सो वि असंतओ कहं होदि। णत्थि त्ति किंचि तत्तो अहवा सुण्णं कहं मुणदि।। २५१ ।। यत् सर्वं अपि च सत् तत् सः अपि असत्कः कथं भवति। नास्ति इति किञ्चित् ततः अथवा शून्यं कथं जानाति।। २५१ ।।
અર્થ:- સર્વ વસ્તુ સતરૂપ છે-વિદ્યમાન છે, તે વસ્તુ અસરૂપ-અવિદ્યમાન કેમ થાય? અથવા “કાંઈ પણ નથી” એવું તો શૂન્ય છે, એમ પણ કેવી રીતે જાણે?
ભાવાર્થ:- છતી ( વિધમાન-પ્રગટ-મોજૂદ ) વસ્તુ અછતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com