________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે દ્રવ્યપર્યાયનું સ્વરૂપ કહે છે:अण्णइरूवं दव्वं विसेसरूवो हवेइ पज्जाओ। दव्वं पि बिसेसेण हि उप्पज्जुदि णस्सदे सददं ।। २४०।। अन्वयिरूपं द्रव्यं विशेषरूपः भवति पर्यायः। द्रव्यं अपि विशेषेण हि उत्पद्यते नश्यति सततम्।। २४०।।
અર્થ:- જીવાદિ વસ્તુ અન્વયરૂપ (સામાન્યરૂ૫ )થી દ્રવ્ય છે અને તે જ વિશેષરૂપથી પર્યાય છે. વળી વિશેષરૂપથી દ્રવ્ય પણ નિરંતર ઊપજે-વિણસે છે.
ભાવાર્થ- અવયરૂપ પર્યાયોમાં સામાન્યભાવને દ્રવ્ય કહે છે તથા વિશેષભાવ છે તે પર્યાય છે. તેથી વિશેષરૂપથી દ્રવ્યને પણ ઉત્પાદ-વ્યયસ્વરૂપ કહે છે. પરંતુ એમ નથી કે પર્યાય, દ્રવ્યથી જુદો જ ઊપજે-વિણસે છે. અભેદવિવક્ષાથી દ્રવ્ય જ ઊપજે- વિણસે છે તથા ભેદવિવક્ષાથી (દ્રવ્ય અને પર્યાયને) જુદા પણ કહીએ છીએ.
હવે ગુણનું સ્વરૂપ કહે છે:सरिसो जो परिणामो अणाइणिहणो हवे गुणो सो हि। सो सामण्णसरूवो उप्पज्जुदि णस्सदे णेय।। २४१।। सदृशः यः परिणामः अनादिनिधनः भवेत् गुणः सः हि। सः सामान्यस्वरूपः उत्पद्यते नश्यति नैव।। २४१।।
અર્થ - દ્રવ્યનો જે પરિણામ (ભાવ) સદેશ અર્થાત્ પૂર્વ-ઉત્તર બધીય પર્યાયોમાં સમાન હોય-અનાદિનિધન હોય તે જ ગુણ છે. અને તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી.
ભાવાર્થ- જેમ જીવદ્રવ્યનો ચેતનગુણ તેની સર્વ પર્યાયોમાં મોજૂદ છે- અનાદિનિધન છે, તે સામાન્યસ્વરૂપથી ઊપજતો-વિણસતો નથી પણ વિશેષરૂપથી પર્યાયમાં વ્યક્તરૂપ (પ્રગટરૂપ)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com