________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[ ૧૩૭
થાય જ છે, એવો ગુણ છે. તેવી રીતે બધાંય દ્રવ્યોમાં પોતપોતાના સાધારણ (સામાન્ય ) તથા અસાધારણ (વિશેષ ) ગુણો સમજવા.
હવે કહે છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાયોનું એકપણું છે તે જ ૫રમાર્થે વસ્તુ છેઃ
सो वि विणस्सदि जायदि विसेसरूवेण सव्वदव्वेसु । दव्वगुणपज्जयाणं एयत्तं वत्थु
सः अपि विनश्यति जायते विशेषरूपेण सर्वद्रव्येषु । द्रव्यगुणपर्यायाणां एकत्वं वस्तु परमार्थं ।। २४२ ।।
પરમત્નું।।૨૪૨।।
અર્થ:- સર્વ દ્રવ્યોમાં જે ગુણ છે તે પણ વિશેષરૂપથી ઊપજેવિણશે છે. એ પ્રમાણે દ્રવ્ય-ગુણ-પર્યાયોનું એકપણું છે અને તે જ ૫૨માર્થભૂત વસ્તુ છે.
ભાવાર્થ:- ગુણનું સ્વરૂપ એવું નથી કે જે વસ્તુથી ભિન્ન જ હોય-નિત્યરૂપ સદા રહે છે. ગુણ-ગુણીને કથંચિત્ અભેદપણું છે તેથી જે પર્યાય ઊપજે-વિણસે છે તે ગુણ-ગુણીનો વિકાર છે (વિશેષ આકાર છે). એટલા માટે ગુણને પણ ઊપજતા- વિણસતા કહીએ છીએ. એવું જ નિત્યાનિત્યાત્મક વસ્તુનું સ્વરૂપ છે. એ પ્રમાણે દ્રવ્યગુણ-પર્યાયોની એકતા એ જ ૫૨માર્થભૂત વસ્તુ છે.
હવે આશંકા થાય છે કે-દ્રવ્યોમાં પર્યાય વિદ્યમાન ઊપજે છે કે અવિદ્યમાન ઊપજે છે? એવી આશંકાનું સમાધાન કરે છે:
जदि दव्वे पज्जाया वि विजमाणा तिरोहिदा संति । ता उप्पत्ति विहला पडपिहिदे देवदत्तिव्व ।। २४३ ।।
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com