________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪]
[ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા सर्वेषां द्रव्याणां द्रव्यस्वरूपेण भवति एकत्वम्। निजनिजगुणभेदेन हि सर्वाणि अपि भवन्ति भिन्नानि।। २३६ ।।
અર્થ - બધાય દ્રવ્યોને દ્રવ્યસ્વરૂપથી તો એકત્વપણું છે તથા પોતપોતાના ગુણોના ભેદથી સર્વ દ્રવ્યો ભિન્નભિન્ન છે.
ભાવાર્થ- દ્રવ્યનું લક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યસ્વરૂપ સત્ છે. હવે એ સ્વરૂપથી તો સર્વને એકપણું છે. તથા ચેતનતા-અચેતનતા આદિ પોતપોતાના ગુણથી ભેદરૂપ છે માટે ગુણના ભેદથી બધાં દ્રવ્યો ન્યારો ન્યારાં છે. વળી એક દ્રવ્યને ત્રિકાળવર્તી અનંત પર્યાય છે, તે બધા પર્યાયોમાં દ્રવ્યસ્વરૂપથી તો એકતા જ છે; જેમ ચેતનના પર્યાય બધા ચેતનસ્વરૂપ છે. તથા પ્રત્યેક પર્યાય પોતપોતાના સ્વરૂપથી ભિન્નભિન્ન પણ છે, ભિન્નભિન્નકાળવાર્તા છે તેથી ભિન્નભિન્ન કહીએ છીએ; પરંતુ તેમને પ્રદેશભેદ નથી. તેથી એક જ દ્રવ્યના અનેક પર્યાય હોય છે તેમાં વિરોધ નથી. ' હવે દ્રવ્યને ગુણ-પર્યાયસ્વભાવપણું દર્શાવે છે:
जो अत्थो पडिसमयं उप्पादव्वयधुवत्तसब्भावो। गुणपजुयपरिणामो सो संतो भण्णदे समये।। २३७।।
यः अर्थः प्रतिसमयं उत्पादव्ययध्रुवत्वसद्भावः। गुणपर्यायपरिणामः सः सत् भण्यते समये।। २३७।।
અર્થ- અર્થ એટલે વસ્તુ છે, તે સમયે સમયે ઉત્પાદ-વ્યયધ્રૌવ્યપણાના સ્વભાવરૂપ છે; અને તેને ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ સત્ત્વ સિદ્ધાંતમાં કહ્યું છે.
ભાવાર્થ- જીવાદિ વસ્તુ છે તે ઊપજવું, વિણસવું અને સ્થિર રહેવું એ ત્રણે ભાવમય છે, અને જે વસ્તુ ગુણ-પર્યાય પરિણામસ્વરૂપ છે તે જ સત્ છે. જેમ જીવદ્રવ્યનો ચેતના ગુણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com