________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા स्वस्वरूपस्थः जीवः कार्यं साधयति वर्तमानं अपि। क्षेत्रे एकस्मिन् स्थितः निजद्रव्ये संस्थित: चैव।। २३२ ।।
અર્થ- જીવદ્રવ્ય છે તે પોતાના ચેતના સ્વરૂપમાં (ભાવમાં) પોતાના જ ક્ષેત્રમાં, પોતાના જ દ્રવ્યમાં તથા પોતાના પરિણમનરૂપ સમયમાં રહીને જ પોતાના પર્યાયસ્વરૂપ કાર્યને સાધે છે.
ભાવાર્થ- પરમાર્થથી વિચારીએ તો પોતાનાં જ દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવસ્વરૂપ થતો થકો જીવ, પર્યાયસ્વરૂપ કાર્યરૂપે પરિણમે છે અને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ છે તે તો નિમિત્તમાત્ર છે.
- હવે અન્યરૂપ થઈને કાર્ય કરે તો તેમાં દૂષણ દર્શાવે છે:ससरूवत्थो जीवो अण्णसरूवम्मि गच्छदे जदि हि। अण्णोण्णमेलणादो एकसरूवं हवे सव्वं ।। २३३ ।। स्वस्वरूपस्थः जीवः अन्यस्वरूपे गच्छेत् यदि हि। अन्योन्यमेलनात् एकस्वरूपं भवेत् सर्वं ।। २३३।।
અર્થ:- જો જીવ પોતાના સ્વરૂપમાં રહીને પણ પરસ્વરૂપમાં જાય તો પરસ્પર મળવાથી બધાંય દ્રવ્યો એકરૂપ બની જાય; એ મહાન દોષ આવે. પરંતુ એમ એકરૂપ કદી પણ થતો નથી એ પ્રગટ છે.
હવે સર્વથા એકરૂપ માનવામાં દૂષણ દર્શાવે છે:अहवा बंभसरूवं एक सव्वं पि मण्णदे जदि हि। चंडालबंभणाणं तो ण विसेसो हवे कोवि।। २३४ ।। अथवा ब्रह्मस्वरूपं एकं सर्वं अपि मन्यते यदि हि। चाण्डालब्राह्मणानां तत् न विशेष: भवेत् कः अपि।। २३४ ।।
અર્થ- જો સર્વથા એક જ વસ્તુ માની બધુંય બ્રહ્મનું સ્વરૂપ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com