________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૨૯
નિત્યરૂપ વા અનેકરૂપ-અનિત્યરૂપ જ હોય તો તેમાં ઘટ આદિ કાર્ય બને નહિ. એ જ પ્રમાણે સર્વ વસ્તુ જાણવી.
હવે સર્વથા એકાન્તરૂપ વસ્તુ કાર્યકારી નથી એમ કહે છે:एयंतं पुणु दव्वं कज्जुं ण करेदि लेसमेत्तं पि । जं पुणु ण करदि कजं तं वुच्चदि केरिसं दव्वं ।। २२६ ।। एकान्तं पुनः द्रव्यं कार्यं न करोति लेशमात्रं अपि । तत् पुनः न करोति कार्यं तत् उच्यते कीदृशं द्रव्यम्।। २२६ ।।
અર્થ:- વળી એકાન્તસ્વરૂપ દ્રવ્ય છે તે લેશમાત્ર પણ કાર્ય કરતું નથી તથા જે કાર્ય જ ન કરે તે દ્રવ્ય જ કેવું? તે તો શૂન્યરૂપ જેવું છે.
ભાવાર્થ:- જે અર્થક્રિયારૂપ હોય તેને જ ૫રમાર્થરૂપ વસ્તુ કહી છે પણ જે અર્થક્રિયારૂપ નથી તે તો આકાશના ફૂલની માફક શૂન્યરૂપ છે.
હવે સર્વથા નિત્ય-એકાન્તમાં અર્થક્રિયાકારીપણાનો અભાવ દર્શાવે છેઃ
परिणामेण विहीणं णिचं दव्वं विणस्सदे णेव । णो उप्पज्जदि य सया एवं कजं कहं कुणदि ।। २२७ ।।
परिणामेन विहीनं नित्यं द्रव्यं विनश्यति नैव ।
न उत्पद्यते च सदा एवं कार्यं कथं कुरुते ।। २२७ ।।
અર્થ:- પરિણામ રહિત જે નિત્ય દ્રવ્ય છે તે કદી વિણશેઊપજે નહિ, તો તે કાર્ય શી રીતે કરે? એ પ્રમાણે જે કાર્ય ન કરે તે વસ્તુ જ નથી. જો તે ઊપજે- વિણશે તો સર્વથા નિત્યપણું ઠરતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com