________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮]
| [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા કાળમાં એકે એક સમયમાં વસ્તુના કારણ-કાર્યના વિશેષ (ભેદ) હોય છે.
ભાવાર્થ- વર્તમાનસમયમાં જે પર્યાય છે તે પૂર્વસમય સહિત વસ્તુનું કાર્ય છે. એ જ પ્રમાણે સર્વ પર્યાય જાણવી. એ રીતે પ્રત્યેક સમય કાર્ય-કારણભાવરૂપ છે.
હવે વસ્તુ અનંતધર્મ સ્વરૂપ છે એવો નિર્ણય કરે છે:संति अणंताणंता तीसु वि कालेसु सव्वदव्वाणि। सव्वं पि अणेयंतं तत्तो भणिदं जिणिंदेहिं।। २२४।। सन्ति अनन्तानन्ताः त्रिषु अपि कालेषु सर्वद्रव्याणि। सर्वं अपि अनेकान्तं तत: भणितं जिनेन्द्रैः।। २२४।।
અર્થ- સર્વ દ્રવ્ય છે તે ત્રણે કાળમાં અનંતાનંત છે-અનંત પર્યાયો સહિત છે; તેથી શ્રી જિનેન્દ્રદેવે સર્વ વસ્તુને અનેકાન્ત અર્થાત અનંતધર્મસ્વરૂપ કહી છે.
હવે કહે છે કે અનેકાન્તાત્મક વસ્તુ જ અર્થક્રિયાકારી છે:जं वत्थु अणेयंतं तं चिय कजं करेदि णियमेण। बहुधम्मजुदं अत्थं कजुकरं दीसदे लोए।। २२५ ।। यत् वस्तु अनेकान्तं तत् एव कार्यं करोति नियमेन। बहुधर्मयुतः अर्थः कार्यकर: दृश्यते लोके।। २२५ ।।
અર્થ- જે વસ્તુ અનેકાન્ત છે-અનેક ધર્મસ્વરૂપ છે તે જ નિયમથી કાર્ય કરે છે. લોકમાં પણ બહુધર્મયુક્ત પદાર્થ છે તે જ કાર્ય કરવાવાળો દેખાય છે.
ભાવાર્થ- લોકમાં નિત્ય-અનિત્ય, એક-અનેક ઈત્યાદિ અનેકધર્મયુક્ત વસ્તુ છે તે જ કાર્યકારી દેખાય છે. જેમ માટીનાં ઘટ આદિ અનેક કાર્ય બને છે તે જ માટી સર્વથા એકરૂપ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com