SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૧૨૫ કારણ છે અને અન્ય બાહ્ય દ્રવ્ય છે તે અન્યને નિમિત્તમાત્ર જાણો. ભાવાર્થ:- જેમ ઘટ આદિને માટી ઉપાદાનકારણ છે અને ચાકદંડાદિ નિમિત્તકારણ છે, તેમ સર્વ દ્રવ્યો પોતપોતાના પરિણામનાં ઉપાદાનકારણ છે અને કાળદ્રવ્ય નિમિત્તકા૨ણ છે. હવે કહે છે કે-બધાં દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીકારણભાવથી છે: सव्वाणं दव्वाणं जो उवयारो हवेइ अण्णोष्णं । सो चिय कारणभावो हवदि हु सहयारिभावेण ।। २१८ । सर्वेषां द्रव्याणां यः उपकारः भवति अन्योन्यम् । सः च एव कारणभावः भवति स्फुटं सहकारिभावेन ।। २९८ ।। અર્થ:- બધાંય દ્રવ્યોને જે પરસ્પર ઉપકાર છે તે સહકારીભાવથી કારણભાવ થાય છે અને તે પ્રગટ છે. હવે દ્રવ્યોમાં સ્વભાવભૂત નાના (પ્રકારની) શક્તિ છે તેને કોણ નિષેધી શકે છે? તે કહે છે : कालाइलद्धिजुत्ता णाणासत्तीहिं संजुदा अत्था । परिणममाणा हि सयं ण सक्कदे को वि वारेदुं ।। २१९।। कालादिलब्धियुक्ताः नानाशक्तिभिः संयुताः अर्थाः । परिणममानाः हि स्वयं न शक्यते कः अपि वारयितुं ।। २९९ ।। અર્થ::- નાના શક્તિયુક્ત બધાય પદાર્થો કાળાદિ લબ્ધિ સહિત થતાં સ્વયં પરિણમે છે. તેમને તેમ પરિણમતાં કોઈ અટકાવવા સમર્થ નથી. ભાવાર્થ:- સર્વ દ્રવ્યો, પોતપોતાના પરિણામરૂપ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ સામગ્રીને પામી પોતે જ ભાવરૂપ પરિણમે છે; તેમને કોઈ અટકાવી શકતું નથી. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy