________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
[૧૨૩ હવે આકાશમાં જેમ સર્વ દ્રવ્યોને અવગાહ આપવાની શક્તિ છે તેવી અવગાહુ આપવાની શક્તિ બધાંય દ્રવ્યોમાં છે એમ કહે છે :सव्वाणं दव्वाणं अवगाहणसत्ति अत्थि परमत्थं। जह भसमपाणियाणं जीवपएसाण जाण बहुआणं ।। २१४ ।। सर्वेषां द्रव्याणां अवगाहनशक्ति: अस्ति परमार्थतः। यथा भस्मपानीययोः जीवप्रदेशानां जानीहि बहुकानाम्।। २१४ ।।
અર્થ:- બધાંય દ્રવ્યોમાં પરસ્પર અવગાહ આપવાની શક્તિ છે એમ નિશ્ચયથી તમે જાણો. જેમ ભસ્મ અને જલમાં (પરસ્પર) અવગાહનશક્તિ છે તેમ જીવના અસંખ્યાતપ્રદેશોને પણ જાણો.
ભાવાર્થ- જેમ પાત્રમાં જલ ભરી તેમાં ભસ્મ નાખીએ તો તે તેમાં સમાય છે, વળી તેમાં સાકર નાખીએ તો તે પણ સમાય છે, અને તેમાં સોય ચાપીએ તો તે પણ તેમાં સમાય છે,-એમ અવગાહનશક્તિ સમજવી. અહીં કોઈ પ્રશ્ન કરે કે-બધાંય દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે તો એ (અવગાહશક્તિ) આકાશનો અસાધારણ ધર્મ કેવી રીતે કર્યો? તેનું સમાધાન-જોકે પરસ્પર અવગાહ તો બધાંય દ્રવ્યો આપે છે તથાપિ આકાશદ્રવ્ય સર્વથી મોટું છે તેથી તેમાં બધાંય દ્રવ્યો સમાય છે એ જ તેની અસાધારણતા છે. जदि ण हवदि सा सत्ती सहावभूदा हि सव्वदव्वाणं। एक्केकास-पएसे कह ता सव्वाणि वटुंति।। २१५ ।। यदि न भवति सा शक्तिः स्वभावभूता हि सर्वद्रव्याणाम्। एकैकाकाशप्रदेशे कथं तत् सर्वाणि वर्तन्ते।। २१५ ।।
અર્થ:- જો સર્વ દ્રવ્યોને સ્વભાવભૂત અગાહનશક્તિ ન હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com