________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
હવે ધર્મ અને અધર્મદ્રવ્યનું સ્વરૂપ કહે છે :
धम्ममधम्मं दव्वं गमणट्ठाणाण कारणं कमसो । जीवाण पुग्गलाणं बिण्णि वि लोगप्पमाणाणि । । २१२ ।।
धर्मं अधर्मं द्रव्यं गमनस्थानयोः कारणं क्रमशः । जीवानां पुद्गलानां द्वे अपि लोकप्रमाणे ।। २१२ ।।
અર્થ:- જીવ અને પુદ્ગલ એ બંને દ્રવ્યોને જે અનુક્રમે ગમન અને સ્થિતિનાં સહકારીકારણ છે તે ધર્મ અને અધર્મદ્રવ્ય છે, અને તે બંનેય લોકાકાશપ્રમાણ પ્રદેશને ધારણ કરે છે.
ભાવાર્થ:- જીવ-પુદ્દગલોને ગમનમાં સહકારીકા૨ણ તો ધર્મદ્રવ્ય છે તથા સ્થિતિમાં સહકારીકા૨ણ અધર્મદ્રવ્ય છે; અને તે બંને લોકાકાશપ્રમાણ છે.
હવે આકાશદ્રવ્યનું સ્વરૂપ કહે છે :
सयलाणं दव्वाणं जं दादुं सक्कदे हि अवगासं । तं आयासं दुविहं लोयालोयाण भेएण ।। २१३ ।। सकलानां द्रव्याणां यत् दातुं शक्नोति हि अवकाशम्। तत् आकाशं द्विविधं लोकालोकयोः મેલેન।। રoરૂ।।
અર્થ:- જે સમસ્ત દ્રવ્યોને અવકાશ આપવામાં સમર્થ છે આકાશદ્રવ્ય છે અને તે લોક તથા અલોકના ભેદથી બે પ્રકારનું છે.
ભાવાર્થ:- જેમાં સર્વ દ્રવ્યો રહે એવા અવગાહનગુણને જે ધારે છે તે આકાશદ્રવ્ય છે, જેમાં (પોતાસહિત બીજાં ) પાંચ દ્રવ્યો રહે છે તે તો લોકાકાશ છે તથા જેમાં (આકાશ સિવાય બીજાં ) અન્ય દ્રવ્યો નથી તે અલોકાકાશ છે. એ પ્રમાણે આકાશદ્રવ્યના બે ભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com