________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
सशरीरा: अर्हन्तः केवलज्ञानेन ज्ञातसकलार्थाः । જ્ઞાનશીરા: સિદ્ધા: સર્વોત્તમસૌષ્યસંપ્રાપ્તા:।। ૬૮ ।।
અર્થ:- શરી૨ સહિત અરહંત છે; તે કેવા છે? કેવલજ્ઞાન દ્વારા જેઓ સકલ પદાર્થોને જાણે છે તે પરમાત્મા છે; તથા શરીરરહિત અર્થાત્ જ્ઞાન જ છે શરીર જેઓને તે સિદ્ધ છે. કેવા છે તે ? તે શરીર રહિત ૫રમાત્મા સર્વ ઉત્તમ સુખોને પ્રાપ્ત થયા છે.
ભાવાર્થ:- તે૨મા અને ચૌદમા ગુણસ્થાનવર્તી અર્હત શરીર સહિત ૫૨માત્મા તથા સિદ્ઘપરમેષ્ઠી શરીરહિત
૫રમાત્મા છે.
હવે ‘ પરા ’ શબ્દનો અર્થ કહે છે :
णिस्सेसकम्मणासे अप्पसहावेण जा समुप्पत्ती । कम्मजभावखए वि य सा वि य पत्ती परा होदि । । १९९।।
निःशेषकर्मनाशे आत्मस्वभावेन या समुत्पत्तिः । कर्म्मजभावक्षये अपि च सा अपि च प्राप्तिः परा भवति ।। ९९९ ।।
અર્થ:- જે સમસ્ત કર્મનો નાશ થતાં પોતાના સ્વભાવથી ઊપજે તેને ‘પરા’કહીએ છીએ. વળી કર્મથી ઊપજતા ઔદિયકાદિ ભાવોનો નાશ થતાં જે ઊપજે તેને પણ ‘પરા’ કહીએ છીએ.
ભાવાર્થ:- ૫૨માત્મા શબ્દનો અર્થ આ પ્રમાણે છે: ‘પરા’ એટલે ઉત્કૃષ્ટ તથા ‘મા' એટલે લક્ષ્મી; તે જેને હોય એવા આત્માને પરમાત્મા કહીએ છીએ. જે સમસ્ત કર્મોનો નાશ કરી સ્વભાવરૂપ લક્ષ્મીને પ્રાપ્ત થયા છે એવા સિદ્ધ, તે પરમાત્મા છે. વળી ઘાતિકર્મોના નાશથી અનંતચતુષ્ટયરૂપ લક્ષ્મીને જેઓ પ્રાપ્ત થયા છે એવા અરહંત, તે પણ પરમાત્મા છે. વળી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com