________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૧૫ હવે જઘન્ય અંતરાત્માનું સ્વરૂપ કહે છે :अविरयसम्माट्ठिी होंति जहण्णा जिणिंदपयभत्ता। अप्पाणं जिंदंता गुणगहणे सुठु अणुरत्ता।।१९७।। अविरतसम्यग्दृष्टयः भवन्ति जघन्याः जिनेन्द्रपदभक्ताः। आत्मानं निन्दन्तः गुणग्रहणे सुष्ठु अनुरक्ताः।।१९७।।
અર્થ - જે જીવ અવિરતસમ્યગ્દષ્ટિ છે અર્થાત્ સમ્યગ્દર્શન તો જેમને છે પણ ચારિત્રમોહના ઉદયથી વ્રત ધારણ કરી શકતા નથી તે જઘન્ય અંતરાત્મા છે. તે કેવા છે? જિનેન્દ્રના ચરણોના ઉપાસક છે અર્થાત નિંદ્ર, તેમની વાણી તથા તેમને અનુસરનારા નિગ્રંથગુરુની ભક્તિમાં તત્પર છે, પોતાના આત્માને સદાય નિંદતા રહે છે, ચારિત્રમોહના ઉદયથી વ્રત ધાર્યા જતાં નથી અને તેની ભાવના નિરંતર રહે છે તેથી પોતાના વિભાવભાવોની નિંદા કરતા જ રહે છે, ગુણોના ગ્રહણમાં સમ્યક્ પ્રકારથી અનુરાગી છે, જેમનામાં સમ્યગ્દર્શનાદિ ગુણ દેખે તેમના પ્રત્યે અત્યંત અનુરાગરૂપ પ્રવર્તે છે, ગુણો વડે પોતાનું અને પરનું હિત જાણ્યું છે તેથી ગુણો પ્રત્યે અનુરાગ જ થાય છે. એ પ્રમાણે ત્રણ પ્રકારના અંતરાત્મા કહ્યા તે ગુણસ્થાન અપેક્ષાએ જાણવા.
ભાવાર્થ- ચોથા ગુણસ્થાનવતી જઘન્ય અંતરાત્મા છે, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનવર્સી મધ્યમ અંતરાત્મા છે તથા સાતમાથી માંડીને બારમાં ગુણસ્થાન સુધીના (સાધકો) ઉત્કૃષ્ટ અંતરાત્મા જાણવા.
હવે પરમાત્માનું સ્વરૂપ કહે છે :ससरीरा अरहंता केवलणाणेण मुणियसयलत्था। णाणसरीरा सिद्धा सव्वुत्तमसुक्खसंपत्ता।। १९८ ।।
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com