________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
અંતરાત્મા છે; તેને જાતિ, લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને ઐશ્વર્ય એ આઠ મદનાં કારણો છે તેમાં અહંકાર-મમકાર ઊપજતા નથી કારણ કે એ બધા પરદ્રવ્યના સંયોગજનિત છે; તેથી તેમાં ગર્વ કરતા નથી. એ અંતરાત્મા ત્રણ પ્રકારના છે.
હવે એ ત્રણે પ્રકારોમાં ઉત્કૃષ્ટ અંતરાત્માનું સ્વરૂપ કહે છે :पंचमहव्वयजुत्ता धम्मे सुक्के वि संठिदा णिच्चं । णिज्जियसयलपमाया उक्किट्ठा अंतरा होंति ।। ९९५ ।।
पञ्चमहाव्रतयुक्ताः धर्मे शुक्ले अपि संस्थिताः नित्यम्। निर्जितसकलप्रमादाः उत्कृष्टाः અન્તરા: ભવન્તિ।। ૬ ।।
અર્થ:- જે જીવ પંચમહાવ્રતથી યુક્ત હોય, નિત્ય ધર્મ-ધ્યાનશુકલધ્યાનમાં રમતો હોય અને જીત્યા છે નિદ્રા આદિ પ્રમાદો જેણે તે ઉત્કૃષ્ટ અંતરાત્મા છે.
હવે મધ્યમ અંતરાત્માનું સ્વરૂપ કહે છે :
सावयगुणेहिं जुत्ता पमत्तविरदा य मज्झिमा होंति । जिणवयणे अणुरत्ता उवसमसीला महासत्ता ।। १९६ ।। श्रावकगुणैः युक्ताः प्रमत्तविरताः च मध्यमाः भवन्ति । जिनवचने अनुरक्ताः उपशमशीलाः महासत्त्वाः।। १९६ ।।
અર્થ:- જે જીવ શ્રાવકના વ્રતોથી સંયુક્ત હોય વા પ્રમત્તગુણસ્થાન યુક્ત જે મુનિ હોય તે મધ્યમ અંતરાત્મા છે. કેવા છે તેઓ ? શ્રી જિનેંદ્રવચનમાં અનુરક્ત-લીન છે, આજ્ઞા સિવાય પ્રવર્તન કરતા નથી, મંદકષાય-ઉપશમભાવરૂપ છે સ્વભાવ જેમનો, મહા પરાક્રમી છે, પરિષાદિ સહન કરવામાં દૃઢ છે અને ઉપસર્ગ આવતાં પ્રતિજ્ઞાથી જે ચલિત થતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com