________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા]
[૧૧૧ जीवः अपि भवति पापं अतितीव्रकषायपरिणतः नित्यम्। जीवः भवति पुण्यं उपशमभावेन संयुक्तः ।। १९०।।
અર્થ - આ જીવ, અતિ તીવ્ર કષાયયુક્ત થાય ત્યારે તે પોતે જ પાપરૂપ થાય છે તથા ઉપશમભાવ-મંદ કષાય-યુક્ત થાય ત્યારે તે પોતે જ પુણ્યરૂપ થાય છે.
ભાવાર્થ- ક્રોધ-માન-માયા-લોભના અતિ તીવ્રપણાથી તો પાપપરિણામ થાય છે તથા તેના મંદપણાથી પુણપરિણામ થાય છે; તે પરિણામ સહિત (જીવન) પુણ્યજીવ તથા પાપજીવ કહીએ છીએ. વળી એક જ જીવ બંને પરિણામયુક્ત થતાં પુણ્યજીવ-પાપજીવ પણ કહીએ છીએ. સિદ્ધાંતની અપેક્ષાએ તો એમ જ છે. કારણ કે સમ્યકત્વ સહિત જીવને તો તીવ્ર કષાયની જડ (મિથ્યાશ્રદ્ધાન) કપાવાથી પુણ્યજીવ કહીએ છીએ તથા મિથ્યાદષ્ટિ જીવને ભેદજ્ઞાન વિના કષાયોની જડ કપાતી નથી તેથી બહારથી કદાચિત ઉપશમપરિણામ દેખાય તોપણ તેને પાપજીવ જ કહીએ છીએ એમ જાણવું.
૧. આ સંબંધમાં શ્રીગોમ્મદસારમાં પણ કહ્યું છે કે:
जीवदुर्ग उत्तटुं जीवा पुण्णा हु सम्मगुणसहिदा। वदसहिदावि य पावा तविवरीया हवंतित्ति।।६२२।। मिच्छाइट्ठी पावा णंताणंता य सासणगुणावि।
पल्लासंखेजुदिमा अणअण्णदरुदयमिच्छगुणा।। ६२३।।
અર્થ- જીવ અને અજીવ પદાર્થો તો પૂર્વે જીવસમાસ અધિકારમાં વા અહીં છ દ્રવ્ય અધિકારમાં કહ્યા છે. વળી જે સમ્યકત્વગુણ સહિત હોય તથા જે વ્રતયુક્ત હોય તેને પુણ્યજીવ કહીએ છીએ, તેથી વિપરીત એટલે સમ્યકત્વ અને વ્રત રહિત જીવ નિયમથી પાપજીવ જાણવા. વળી મિથ્યાષ્ટિ પાપજીવ છે તે અનંતાનંત છે, સર્વ સંસારરાશિમાંથી અન્ય ગુણસ્થાનવાળાનું પ્રમાણ બાદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com