________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦]
( [ સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા હવે જીવના કર્તાપણાદિ સંબંધી ચાર ગાથાઓ કહે છેजीवो इवेइ कत्ता सव्वं कम्माणि कुव्वदे जम्हा। कालाइलद्धिंजुत्तो संसारं कुणदि मोक्खं च।। १८८।। जीवः भवति कर्ता सर्वाणि कर्माणि कुर्वते यस्मात्। कालादिलब्धियुक्त संसारं करोति मोक्षं च।। १८८।।
અર્થ:- આ જીવ સર્વ કર્મનો કર્મને કરતો થકો તેને પોતાનું કર્તવ્ય માને છે માટે તે ક્ત પણ છે, અને તે પોતાને સંસારરૂપ કરે છે; વળી કાળાદિ લબ્ધિથી યુક્ત થતો થકો પોતાને મોક્ષરૂપ પણ પોતે જ કરે છે.
ભાવાર્થ- કોઈ જાણે કે આ જીવનમાં સુખ-દુઃખ આદિ કાર્યોને ઈશ્વર આદિ અન્ય કરે છે પણ એમ નથી. પોતે જ કર્તા છે–સર્વ કાર્યો પોતે જ કરે છે, સંસાર પણ પોતે જ કરે છે, તથા કાળલબ્ધિ આવતાં મોક્ષ પણ પોતે જ કરે છે, અને એ બધાં કાર્યો પ્રત્યે દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવરૂપ સામગ્રી નિમિત્ત છે જ. जीवो वि हवइ भुत्ता कम्मफलं सो वि भुंजदे जम्हा। कम्मविवायं विविहं सो चिय भुंजेदि संसारे।। १८९ ।। जीवः अपि भवति भोक्ता कर्मफलं सः अपि भुङ्क्ते यस्मात्। कर्मविपाकं विविधं सः च एव भुनक्ति संसारे।। १८९ ।।
અર્થ- કારણ કે જીવ કર્મનું ફળ આ સંસારમાં ભોગવે છે માટે ભોક્તા પણ તે જ છે; વળી સંસારમાં સુખ-દુઃખરૂપ અનેક પ્રકારના કર્મના વિપાકોને પણ તે જ ભોગવે છે. जीवो वि हवइ पावं अइतिव्वकसायपरिणदो णिचं। जीवो हवेइ पुण्णं उवसमभावेण संजुत्तो।।१९०।। Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com