________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
લોકાનુપ્રેક્ષા ]
હવે જીવને દેહથી ભિન્ન જાણવાનું લક્ષણ દર્શાવે છે:देहमिलिदो वि पिच्छदि देहमिलिदो वि णिसुण्णदे सई। देहमिलिदो वि भुंजदि देहमिलिदो वि गच्छेदि।। १८६ ।। देहमिलितः अपि पश्यति देहमिलितः अपि निशृणोति शब्दम्। देहमिलितः अपि भुक्ते देहमिलितः अपि गच्छति।। १८६ ।।
અર્થ:- જીવ દેહથી મળ્યો થકો જ નેત્રોથી પદાર્થોને દેખે છે, દેહથી મળ્યો થકો જ કાનોથી શબ્દોને સાંભળે છે, દેહથી મળ્યો થકો જ મુખથી ખાય છે, જીભથી સ્વાદ લે છે તથા દેથી મળ્યો થકો જ પગથી ગમન કરે છે.
ભાવાર્થ- દેહમાં જીવ ન હોય તો જડરૂપ એવા માત્ર દેહને જ દેખવું, સ્વાદ લેવો, સાંભળવું અને ગમન કરવું ઈત્યાદિ ક્રિયા ન હોય; તેથી જાણવામાં આવે છે કે દેહમાં (દથી) જુદો જીવ છે અને તે જ આ ક્રિયાઓ કરે છે.
- હવે એ પ્રમાણે જીવને (દેહથી) મળેલો જ માનવાવાળા લોકો તેના ભેદને જાણતા નથી એમ કહે છેઃ
राओ हं भिच्चो हं सिठ्ठी हं चेव दुब्बलो बलिओ। इदि एयत्ताविट्ठो दोहं भेयं ण बुज्झेदि।। १८७।।
राजा अहं भृत्यः अहं श्रेष्ठी अहं चैव दुर्बल: बली। इति एकत्वाविष्ट: द्वयोः भेदं न बुध्यति।।१८७।।
અર્થ:- દેહ અને જીવના એકપણાની માન્યતા સહિત લોક છે તે આ પ્રમાણે માને છે કે હું રાજા છું, હું નોકર છું, હું શેઠ છું, હું દરિદ્ર છું, હું દુર્બલ છું, હું બળવાન છું. એ પ્રમાણે માનતા થકા દેવું અને જીવ બનના તફાવતને જાણતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com