________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૮ ]
[સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા
છે તે પ્રત્યક્ષ છે. હવે જીવ વિના પ્રત્યક્ષપ્રમાણ કોને હોય? માટે જીવનો સદ્દભાવ (અસ્તિત્વ) અવશ્ય સિદ્ધ થાય છે.
હવે આત્માનો સદ્દભાવ જેમ સિદ્ધ થાય તેમ કહે છેઃसंकप्पमओ जीवो सुहदुक्खमयं हवेइ संकप्पो । तं चिय वेददि जीवो देहे मिलिदो वि सव्वत्थ ।। १८४ ।।
संकल्पमयः जीवः सुखदुःखमयः भवति संकल्पः । तदेव वेत्ति जीवः देहे मिलितः अपि सर्वत्र ।। १८४ ।।
અર્થ:- જીવ છે તે સંકલ્પમય છે, અને સંકલ્પ છે તે સુખદુઃખમય છે. તે સુખ-દુઃખમય સંકલ્પને જે જાણે છે તે જ જીવ છે. જે દેહ સાથે સર્વત્ર મળી રહ્યો છે તોપણ, જાણવાવાળો છે તે જ જીવ છે. હવે જીવ, દેહ સાથે મળ્યો થકો, સર્વ કાર્યોને કરે છે તે કહે
છેઃ
देहमिलिदो वि जीवो सव्वकम्माणि कुव्वदे जम्हा । तम्हा पयट्टमाणो एयत्तं बुज्झदे મુખ્તવે વોદું।। ટક્ ।। देहमिलितः अपि जीव: सर्वकर्माणि करोति यस्मात् । तस्मात् प्रवर्तमानः एकत्वं बुध्यते કો: ।। ૧૮૬।।
અર્થ:- કારણ કે જીવ છે તે દેહથી મળ્યો થકો જ સર્વ કર્મનોકર્મરૂપ બધાંય કાર્યોને કરે છે; તેથી તે કાર્યોમાં પ્રવર્તતો થકો જે લોક તેને દેહ અને જીવનું એકપણું ભાસે છે.
ભાવાર્થ:- લોકોને દેહ અને જીવ જીદા તો દેખાતા નથી પણ બંને મળેલા જ દેખાય છે–સંયોગથી કાર્યોની પ્રવૃત્તિ દેખાય છે તેથી તે બંનેને એક જ માને છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com